પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી
પોસ્ટેડ ઓન:
23 APR 2026 2:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બનેલી દુર્ઘટનાથી થયેલા જાનહાનિથી ખૂબ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
આ દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2254846)
મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam