પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી

પોસ્ટેડ ઓન: 23 APR 2026 2:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બનેલી દુર્ઘટનાથી થયેલા જાનહાનિથી ખૂબ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

આ દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2254846) મુલાકાતી સંખ્યા : 16