ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આદિવાસી જીવનને પુનર્જીવિત કરવા પર એક પરિષદનું ઉદ્ઘાટન કર્યું
“આધુનિક વિકાસ અને સંસ્કૃતિનું સંરક્ષણ વિરોધાભાસી નથી, પરંતુ એકબીજાના પૂરક છે”: ઉપરાષ્ટ્રપતિ
આદિવાસી સમુદાયો ભારતની સંસ્કૃતિ અને જૈવવિવિધતાના રક્ષક છે: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિએ ગ્રીન આર્થિક વિકાસ માટે આદિવાસી વિસ્તારોની સંભાવના પર પ્રકાશ પાડ્યો
પોસ્ટેડ ઓન:
12 APR 2026 12:51PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે "વિજ્ઞાન અને ટેકનોલોજીકલ હસ્તક્ષેપો દ્વારા આદિવાસી જીવનમાં પરિવર્તન - ભાષા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું સંરક્ષણ" શીર્ષક હેઠળ એક પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પરિષદનું આયોજન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા નોર્થ ઈસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રીચ (NECTAR) અને IIT-I દૂન સંસ્કૃતિ સ્કૂલ, દેહરાદૂનના સહયોગથી કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત લોકોને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે આ પરિષદમાં પરંપરાગત જ્ઞાન સાથે વૈજ્ઞાનિક સ્વભાવ અને ટેકનોલોજીકલ પ્રગતિની શક્તિ દર્શાવવામાં આવી છે. તેમણે કહ્યું કે જ્યારે આધુનિક વિજ્ઞાન ભાષા, શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે સુમેળમાં કામ કરે છે, ત્યારે તે સુરક્ષા અને સશક્તિકરણ માટે એક શક્તિશાળી બળ બની જાય છે.
આદિવાસી સમુદાયોના મહત્વ પર ભાર મૂકતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતમાં આશરે 1.4 લાખ આદિવાસી ગામો છે, જે દેશની વસ્તીના આશરે 9 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે ભાર મૂક્યો કે આદિવાસી સમુદાયો પાસે અમૂલ્ય પરંપરાગત જ્ઞાન છે, જે જૈવવિવિધતા અને વન સંસાધનોના ટકાઉ ઉપયોગમાં ફાળો આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સદીઓથી, આ સમુદાયો ભારતની પ્રાચીન સંસ્કૃતિ, શ્રદ્ધા અને સભ્યતા વારસાને સાચવી રાખ્યા છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં ગ્રીન આર્થિક વિકાસ માટે અપાર સંભાવનાઓ છે. તેમણે ડિઝાઇન, કાપડ અને રંગ સંયોજનોમાં આદિવાસી સમુદાયોની અસાધારણ કુશળતાનો પણ ઉલ્લેખ કર્યો, જે પેઢીઓથી સાચવવામાં આવી છે.
'વિકસિત ભારત @ 2047'ના વિઝનનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે તેનો માર્ગદર્શક સિદ્ધાંત "વિકાસ તેમજ વારસો" છે; તેમણે ભાર મૂક્યો કે આધુનિક વિકાસ અને પરંપરાઓનું સંરક્ષણ વિરોધાભાસી નથી પરંતુ પૂરક છે.
12મી અને 13મી લોકસભાના સભ્ય તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરતાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ રાજ્યોની રચનાને ટેકો આપ્યો હતો, જેણે આદિવાસી લોકોના ઉત્થાનમાં મદદ કરી હતી. તેમણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ આપી, જેમણે આદિવાસી બાબતોના મંત્રાલયની સ્થાપના કરી હતી; તેમણે તેને આદિવાસી સમુદાયો માટે ન્યાય, ગૌરવ અને તકો પ્રત્યેની નૈતિક પ્રતિબદ્ધતા તરીકે વર્ણવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ ઝારખંડના ઉલીહાટુમાં ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળની તેમની મુલાકાતો વિશે પણ વાત કરી અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને રાષ્ટ્રીય ચેતનાના કેન્દ્રમાં લાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
સરકારની મુખ્ય પહેલો પર પ્રકાશ પાડતા, તેમણે 'પીએમ-જનમન' કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો, જેના હેઠળ આશરે 7,300 કિલોમીટરની લંબાઈને આવરી લેતા 2,400થી વધુ રસ્તાઓ અને 160થી વધુ પુલોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે 'ધરતી આબા - આદિવાસી ગામ ઉત્થાન અભિયાન'નો પણ ઉલ્લેખ કર્યો, જે 63,000થી વધુ આદિવાસી ગામોને આવરી લે છે અને સ્વચ્છ પાણી, આવાસ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને ટકાઉ આજીવિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
શ્રી સી.પી. રાધાકૃષ્ણને પૂર્વોત્તર ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ qઅને કનેક્ટિવિટીમાં થયેલા નોંધપાત્ર વિકાસની નોંધ લીધી અને સમાવેશી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
ITITI દૂન સંસ્કૃતિ શાળાને તેની રજત જયંતિ નિમિત્તે અભિનંદન આપતાં તેમણે યાદ કર્યું કે આ સંસ્થાનું ઉદ્ઘાટન 25 વર્ષ પહેલાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ઉત્તરાખંડ, ઉત્તરપૂર્વ અને લદ્દાખમાં આદિવાસી બાળકો માટે આશાના કિરણ તરીકે ઉભરી રહેલી શાળાની પ્રશંસા કરી, અને નોંધ્યું કે 2,000 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ સંસ્થામાં મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મેળવ્યો છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી તરણજીત સિંહ સંધુ; અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી ચૌના મેઈન; વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રો. અભય કરંદીકર; અને ભૂતપૂર્વ સંસદ સભ્ય અને ITITI દૂન સંસ્કૃતિ શાળાના સ્થાપક ટ્રસ્ટી શ્રી તરુણ વિજય પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2251255)
મુલાકાતી સંખ્યા : 17