પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્કલ દિવસની શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
01 APR 2026 10:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્કલ દિવસના ખાસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે ઓડિશા એક એવું રાજ્ય છે જે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહાનતાના શાશ્વત પ્રતીક તરીકે ગર્વથી ઉભું છે. ઓડિશા સંગીત, કલા અને સાહિત્યે ભારતને અસંખ્ય રીતે સમૃદ્ધ બનાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું, "ઓડિશાના લોકોએ જે તેમના દૃઢ નિશ્ચય, સરળતા અને સ્નેહ માટે જાણીતા છે, તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવનારા સમયમાં ઓડિશા પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરતું રહે તેવી શુભેચ્છા."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
ઉત્કલ દિવસના ખાસ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ. ઓડિશા એક એવું રાજ્ય છે જે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહાનતાના શાશ્વત પ્રતીક તરીકે ગર્વથી ઉભું છે. ઓડિશા સંગીત, કલા અને સાહિત્યે ભારતને અસંખ્ય રીતે સમૃદ્ધ બનાવ્યું છે. ઓડિશાના લોકોએ, જે તેમના દૃઢ નિશ્ચય, સરળતા અને હૂંફ માટે જાણીતા છે, તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવનારા સમયમાં ઓડિશા પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરતું રહે તેવી શુભેચ્છા.
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2247500)
મુલાકાતી સંખ્યા : 18