કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
azadi ka amrit mahotsav

સંસદનો પ્રશ્ન: RTI એક્ટની અસરકારકતાનું મૂલ્યાંકન

પોસ્ટેડ ઓન: 23 MAR 2026 3:14PM by PIB Ahmedabad

જો કોઈ અરજદારને નિર્ધારિત સમય મર્યાદામાં RTI અરજીના જવાબમાં વળતો જવાબ ન મળે અથવા પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર (PIO)ના નિર્ણયથી નારાજ હોય, તો અરજદાર પ્રથમ એપેલેટ ઓથોરિટી સમક્ષ અપીલ કરી શકે છે અને બીજી અપીલ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) સમક્ષ કરી શકાય છે. વધુમાં, એવા કિસ્સામાં, જ્યાં કોઈ અરજદાર માને છે કે PIO દ્વારા અપૂર્ણ, ભ્રામક અથવા ખોટી માહિતી આપવામાં આવી છે, તે કિસ્સામાં સીધી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) / સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન (SIC) પાસે ફરિયાદ નોંધાવી શકે છે.

કેન્દ્ર સરકારમાં સાર્વજનિક સત્તામંડળો ના સંબંધમાં પ્રાપ્ત થયેલી, જવાબ આપેલી અને નકારવામાં આવેલી RTI અરજીઓનો ડેટા, નકારવાના કારણો સાથે, સંબંધિત વર્ષો માટે CIC ના વાર્ષિક અહેવાલમાં ઉપલબ્ધ છે, જે https://cic.gov.in/circular-reports-conventions પર જોઈ શકાય છે. RTI અરજીઓનો અસ્વીકાર દર (ટકાવારીમાં), વર્ષ 2013-14 માં 7.21% હતો જે ઘટીને વર્ષ 2024-25 માં 3.26% થયો છે.

RTI એક્ટ ફ્રેમવર્કની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે આકારણી અને સમીક્ષા એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. સંબંધિત સાર્વજનિક સત્તામંડળો દ્વારા કરવામાં આવેલી સક્રિય/સ્વતઃ (suo-moto) જાહેરાતોના થર્ડ-પાર્ટી ટ્રાન્સપરન્સી ઓડિટ કરવા અંગે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. CIC ટ્રાન્સપરન્સી ઓડિટની પ્રગતિનું નિરીક્ષણ કરે છે અને તમામ સાર્વજનિક સત્તામંડળોને ઓડિટ કરવા માટે અનુરોધ કરે છે.

આ માહિતી કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન, અને પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન, પરમાણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘ દ્વારા સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2243914) મુલાકાતી સંખ્યા : 31
આ રીલીઝ વાંચો: हिन्दी , English , Urdu , Telugu