પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કેનેડામાં ગોળીબારની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 11 FEB 2026 3:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં ગોળીબારની એક ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "ભારત આ ગહન દુઃખની ક્ષણમાં કેનેડાના લોકો સાથે એકતામાં ઊભું છે".

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

"કેનેડામાં થયેલા ભયાનક ગોળીબારથી ઊંડો આઘાત લાગ્યો છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેવા પરિવારો પ્રત્યે હું મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. ભારત આ ગહન દુઃખની ક્ષણમાં કેનેડાના લોકો સાથે એકતામાં ઊભું છે."

@MarkJCarney

SM/BS/GP/JD


(રીલીઝ આઈડી: 2226398) મુલાકાતી સંખ્યા : 26