સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

સાંસ્કૃતિક મંત્રાલયના ‘વંદે માતરમ્ - 150 વર્ષની યાત્રા’ ટેબ્લોએ પ્રજાસત્તાક દિવસ 2026 ની પરેડમાં પ્રથમ પુરસ્કાર જીત્યો


સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિ “વંદે માતરમ્: ભારતનો શાશ્વત પડઘો” એ વિશેષ પુરસ્કાર મેળવ્યો

પોસ્ટેડ ઓન: 30 JAN 2026 2:51PM by PIB Ahmedabad

સાંસ્કૃતિક મંત્રાલયે પ્રજાસત્તાક દિવસની પરેડ 2026 માં નોંધપાત્ર બેવડું સન્માન પ્રાપ્ત કર્યું છે, જેમાં તેનાવંદે માતરમ - 150 વર્ષની યાત્રા શીર્ષક ધરાવતા ટેબ્લોને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં શ્રેષ્ઠ ટેબ્લોની શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જ્યારે તેની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિવંદે માતરમ: ભારતનો શાશ્વત પડઘો ને તેની અસાધારણ કલાત્મક અને વિષયવસ્તુની શ્રેષ્ઠતા માટે વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પુરસ્કાર વિજેતા ટેબ્લોએ વંદે માતરમની 150 વર્ષની યાત્રાનું શક્તિશાળી રીતે ચિત્રણ કર્યું હતું, જેમાં રાષ્ટ્રીય જાગૃતિના ગીત તરીકે તેના ઉદભવ અને ભારતની સ્વતંત્રતા સંગ્રામ, એકતા અને સભ્યતાની ચેતનાને આકાર આપવામાં તેની કાયમી ભૂમિકાને દર્શાવવામાં આવી હતી. ઉત્તેજક દ્રશ્યો અને પ્રતીકવાદ દ્વારા, ટેબ્લોએ ભારતના સામૂહિક રાષ્ટ્રીય ગૌરવમાં રાષ્ટ્રીય ગીતની કાલાતીત પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો.

વિશેષ પુરસ્કાર વિજેતા સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિ, “વંદે માતરમ્ભારતનો શાશ્વત પડઘો, ઉત્તર ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર, પટિયાલાના સહયોગથી સંગીત નાટક અકાદમી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પ્રસ્તુતિ રાષ્ટ્રઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની અમર રચનાનું સન્માન કરે છે જે ભારતની સ્વતંત્રતા ચળવળનો અવાજ બની હતી. પ્રદર્શનમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 2,500 કલાકારો એકસાથે આવ્યા હતા, જેણે શાસ્ત્રીય, લોક અને આદિવાસી કલા સ્વરૂપો દ્વારા ભારતની વિશાળ સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરી હતી.

નૃત્ય નિર્દેશનમાં (choreography) ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળથી લઈને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણ સુધીની ભારતની અવિરત યાત્રા રજૂ કરવામાં આવી હતી. સંસ્કૃત મંત્રો, હૃદયસ્પર્શી સંગીત અને ગતિશીલ રચનાઓ સાથે વણાયેલી પ્રસ્તુતિએ વંદે માતરમની સંપૂર્ણ ભાવનાત્મક અને દાર્શનિક શ્રેણીને આવરી લીધી હતી, જેનું સમાપન  એકતા, ભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક ત્રિરંગાને શ્રદ્ધાંજલિથી થયું હતું.

સાંસ્કૃતિક પ્રસ્તુતિનું નેતૃત્વ સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ડૉ. સંધ્યા પુરેચાએ ઓવરઓલ ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે કર્યું હતું. સંગીત નિર્દેશન ઓસ્કાર વિજેતા સંગીતકાર શ્રી એમ. એમ. કીરવાની દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વધારાના ગીતો શ્રી સુભાષ સહગલ દ્વારા લખવામાં આવ્યા હતા. વૉઇસ-ઓવર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા શ્રી અનુપમ ખેર દ્વારા આપવામાં આવ્યું હતું, નૃત્ય નિર્દેશન શ્રી સંતોષ નાયર દ્વારા અને પોશાક ડિઝાઇન સુશ્રી સંધ્યા રમણ દ્વારા કરવામાં આવી હતી.

SM/DK/GP/JD


(રીલીઝ આઈડી: 2220884) મુલાકાતી સંખ્યા : 92
આ રીલીઝ વાંચો: Telugu , English , Urdu , हिन्दी , Tamil