પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બ્રાઝિલના રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ આવ્યો
બંને નેતાઓએ ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
બંને નેતાઓએ વ્યાપાર અને રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, આરોગ્ય, કૃષિ અને લોકો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિની નોંધ લીધી
નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ વહેલી તકે રાષ્ટ્રપતિ લુલાનું ભારતમાં સ્વાગત કરવા આતુર છે
प्रविष्टि तिथि:
22 JAN 2026 9:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર આજે બ્રાઝિલના ફેડરેટિવ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા તરફથી ટેલિફોન કોલ આવ્યો હતો.
બંને નેતાઓએ ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને આગામી વર્ષમાં તેને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ગયા વર્ષે બ્રાઝિલિયા અને દક્ષિણ આફ્રિકામાં તેમની મુલાકાતોને યાદ કરતા, બંને નેતાઓએ વ્યાપાર અને રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, આરોગ્ય, કૃષિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી નોંધપાત્ર પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે સહિયારા પડકારોને ઉકેલવામાં સુધારેલા બહુપક્ષીયવાદના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ વહેલી તકે રાષ્ટ્રપતિ લુલાનું ભારતમાં સ્વાગત કરવા આતુર છે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2217499)
आगंतुक पटल : 14