ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
પોસ્ટેડ ઓન:
08 JAN 2026 9:16PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર (IB), જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP), CAPFs ના વડાઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરમાં સ્થાયી શાંતિ સ્થાપવા અને આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિનો પુનરોચ્ચાર કરતા શ્રી શાહે કહ્યું કે મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઇકો-સિસ્ટમ પાયમાલ થઈ ગઈ છે.
ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિને મજબૂત કરવા માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આતંકવાદી ધિરાણને નિશાન બનાવતા કાઉન્ટર ટેરર (CT) ઓપરેશન મિશન મોડમાં ચાલુ રાખવા જોઈએ.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને એ સુનિશ્ચિત કરવા માટે સુમેળમાં કામ કરવાનું ચાલુ રાખવા નિર્દેશ આપ્યો હતો કે કલમ 370 નાબૂદ કર્યા પછી જે સફળતા પ્રાપ્ત થઈ છે તે જળવાઈ રહે અને આપણે વહેલી તકે ‘આતંક મુક્ત J&K’ ના લક્ષ્યને પ્રાપ્ત કરીએ. તેમણે ખાતરી આપી હતી કે આ પ્રયાસમાં તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
SM/BS/GP/JD
(રીલીઝ આઈડી: 2212666)
મુલાકાતી સંખ્યા : 51