ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ શુક્રવારે નવી દિલ્હીમાં ‘આતંકવાદ વિરોધી પરિષદ’નું ઉદ્ઘાટન કરશે


આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝન હેઠળ આકાર પામેલી આ વાર્ષિક પરિષદ ઉભરતા જોખમોનો સામનો કરવા માટે ભારતની આગામી પેઢીની વ્યૂહરચનાઓ પર વિચારમંથન કરવા માટેનું એક મંચ બની ગઈ છે

આ કોન્ફરન્સ ઓપરેશનલ દળો; ટેકનિકલ, કાયદાકીય અને ફોરેન્સિક નિષ્ણાતો અને આતંકવાદ વિરોધી કામગીરીમાં લાગેલી એજન્સીઓ માટેનું મિલન સ્થળ છે

કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય ‘હોલ ઓફ ધ ગવર્મેન્ટ એપ્રોચ’ (સમગ્ર સરકારનો અભિગમ) ની ભાવનામાં આતંકવાદના જોખમ સામે સંકલિત કાર્યવાહી માટે વિવિધ હિતધારકો વચ્ચે તાલમેલ વિકસાવવાનો અને ભાવિ નીતિ ઘડતર માટે નોંધપાત્ર ઇનપુટ્સ રજૂ કરવાનો છે

બે દિવસીય કોન્ફરન્સમાં પરામર્શ અને ચર્ચાઓનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી (CT) મુદ્દાઓને ઉકેલવામાં કાયદા અમલીકરણ એજન્સીઓમાં અનુભવો અને સારી પ્રથાઓ વહેંચવાનો અને આતંકવાદની તપાસમાંથી પાઠ શીખવાનો છે

પોસ્ટેડ ઓન: 25 DEC 2025 5:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ શુક્રવાર, 26 ડિસેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં ‘આતંકવાદ વિરોધી પરિષદ’ (Anti-Terror Conference)નું ઉદ્ઘાટન કરશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના વિઝન હેઠળ આકાર પામેલી આ વાર્ષિક પરિષદ ઉભરતા જોખમોનો સામનો કરવા માટે ભારતની આગામી પેઢીની વ્યૂહરચનાઓ પર વિચારમંથન કરવા માટેનું એક મંચ બની ગઈ છે. આ કોન્ફરન્સ ઓપરેશનલ દળો; ટેકનિકલ, કાયદાકીય અને ફોરેન્સિક નિષ્ણાતો; અને આતંકવાદ વિરોધી કામગીરીમાં લાગેલી એજન્સીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદમાંથી ઉભરતા જોખમો પર વિચાર-વિમર્શ કરવા માટેનું મિલન સ્થળ છે.

કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય ‘હોલ ઓફ ધ ગવર્મેન્ટ એપ્રોચ’ની ભાવનામાં આતંકવાદના જોખમ સામે સંકલિત કાર્યવાહી માટે ઔપચારિક અને અનૌપચારિક માધ્યમો સ્થાપિત કરીને વિવિધ હિતધારકો વચ્ચે તાલમેલ વિકસાવવાનો અને ભાવિ નીતિ ઘડતર માટે નોંધપાત્ર ઇનપુટ્સ રજૂ કરવાનો છે.

બે દિવસીય કોન્ફરન્સમાં પરામર્શ અને ચર્ચાઓનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી (CT) મુદ્દાઓને ઉકેલવામાં કાયદા અમલીકરણ એજન્સીઓમાં અનુભવો અને સારી પ્રથાઓ વહેંચવાનો અને આતંકવાદની તપાસમાંથી પાઠ શીખવાનો છે.

કોન્ફરન્સમાં વિદેશી અધિકારક્ષેત્રોમાંથી પુરાવા એકત્ર કરવા, CT તપાસમાં ડિજિટલ ફોરેન્સિક્સ અને ડેટા વિશ્લેષણ, અસરકારક ટ્રાયલ મેનેજમેન્ટ, કટ્ટરપંથીકરણ (radicalisation) ને ઉકેલવા, જાસૂસી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉભરતા હાઇબ્રિડ જોખમો તેમજ આતંકવાદ સંબંધિત અન્ય વિષયો પરના સત્રોનો સમાવેશ થાય છે. વધુમાં, ટેરર ​​ફાઇનાન્સિંગ નેટવર્કને તોડી પાડવા—સાધનો, તકનીકો અને કેસ લર્નિંગ—તેમજ ભવિષ્ય માટે તૈયાર CT વ્યૂહરચનાઓ બનાવવા અને ઉભરતા રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓને ઉકેલવા માટે સંસ્થાકીય ક્ષમતાઓ બનાવવા પરના સત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કોન્ફરન્સમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, આતંકવાદ વિરોધી મુદ્દાઓ સાથે કામ કરતી કેન્દ્રીય એજન્સીઓ/વિભાગોના અધિકારીઓ અને કાયદો, ફોરેન્સિક્સ, ટેકનોલોજી વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.

SM/NP/GP/JD


(રીલીઝ આઈડી: 2208538) મુલાકાતી સંખ્યા : 75