પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બિહાર કોકિલા શારદા સિંહા જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 05 NOV 2025 10:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર કોકિલા શારદા સિંહાજીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું, "તેમણે લોકગીતો દ્વારા બિહારની કલા અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મહાપર્વ છઠ સાથે સંકળાયેલા તેમના સુમધુર ગીતો હંમેશા લોકોના હૃદયમાં રહેશે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"બિહાર કોકિલા શારદા સિંહાજીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે લોકગીતો દ્વારા બિહારની કલા અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મહાપર્વ છઠ સાથે સંબંધિત તેમના સુમધુર ગીતો હંમેશા લોકોના મનમાં અંકિત રહેશે."

 

***

IJ/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2186590) Visitor Counter : 17