પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પટનામાં રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Posted On: 02 NOV 2025 10:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટનાના દિનકર ગોલંબર ખાતે રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બિહારના ગૌરવ રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરની શક્તિશાળી રચનાઓ હંમેશા દેશવાસીઓને ભારત માતાની સેવા કરવા માટે પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે આજે પટનામાં આ મહાન કવિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ એક સૌભાગ્યની વાત છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"બિહારના ગૌરવ રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરના શક્તિશાળી રચનાઓ એ હંમેશા દેશવાસીઓને ભારત માતાની સેવા કરવા માટે પ્રેરણા આપી છે. આજે મને પટનાના દિનકર ગોલંબર ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે."

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2185698) Visitor Counter : 9