આયુષ
યોગ સંગમ 2025 ભારતને એક કરે છે: 30000થી વધુ સંગઠનો આ ચળવળમાં જોડાયા
Posted On:
04 JUN 2025 8:10PM by PIB Ahmedabad
ભારતની સર્વાંગી સુખાકારી પ્રત્યે વધતી પ્રતિબદ્ધતાના શક્તિશાળી પુરાવા તરીકે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2025ના મુખ્ય કાર્યક્રમ યોગ સંગમ એ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. જેમાં દેશભરમાં સંગઠનો દ્વારા દરખાસ્તોની ૩૦,૦૦૦ નોંધણીઓ પાર થઈ ગઈ છે.
IDY 2025નો મુખ્ય કાર્યક્રમ ગત વર્ષોની જેમ જ યોજાશે. જેમાં દેશભરમાં યોજાતા આવા અસંખ્ય કાર્યક્રમોના ઓનલાઈન ટ્રેકિંગની વધારાની સુવિધા હશે. આ આયુષ મંત્રાલયના યોગ પોર્ટલ પર એક સુવિધા દ્વારા કરવામાં આવશે, જ્યાં મહત્વાકાંક્ષી સંગઠનો IDY કાર્યક્રમની નોંધણી માટે તેમના પ્રસ્તાવો નોંધાવી શકે છે.
દરખાસ્તોની નોંધણીના સંદર્ભમાં આ જબરદસ્ત પ્રતિસાદ યોગને રાષ્ટ્રવ્યાપી સ્વીકાર તરીકે પ્રતિબિંબિત કરે છે. જે ફક્ત એક પ્રથા કરતાં વધુ, તે સભાન જીવન, સમુદાય સ્થિતિસ્થાપકતા અને રાષ્ટ્રીય સુખાકારી તરફ એક ચળવળ છે. શાળાઓ અને રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWA)થી લઈને કોર્પોરેટ, NGO અને સરકારી સંસ્થાઓ સુધી, ભારતના દરેક ખૂણામાંથી સંસ્થાઓ યોગ સંગમના બેનર હેઠળ એક થઈ રહી છે. જે 21 જૂન 2025ના રોજ IDY કાર્યક્રમનું આયોજન કરવાનો તેમનો ઇરાદો નોંધાવી રહી છે.
11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે રાષ્ટ્ર તૈયાર થઈ રહ્યું છે. ત્યારે 2025ની થીમ "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ" - ભૌગોલિક, સંસ્કૃતિઓ અને વ્યવસાયોને પાર કરતી એકીકૃત ચળવળને પ્રેરણા આપતી રહે છે. લદ્દાખના બરફથી ઢંકાયેલા પર્વતોથી લઈને કેરળના સૂર્યપ્રકાશિત દરિયાકિનારા સુધી, શાળાના રમતના મેદાનો અને ઓફિસ લૉનથી લઈને રેલ્વે સ્ટેશનો અને ઐતિહાસિક મંદિરના પ્રાંગણ સુધી, ભારત શ્વાસ અને ગતિમાં એક સાથે આવી રહ્યું છે.
IITs, IIMs અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ જેવી અગ્રણી સંસ્થાઓની સક્રિય ભાગીદારીએ ચળવળમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. શૈક્ષણિક શ્રેષ્ઠતાના આ કેન્દ્રો માત્ર મોટા પાયે યોગ પ્રદર્શનોનું આયોજન કરી રહ્યા નથી, પરંતુ માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા અને નેતૃત્વ વિકાસ માટે યોગને એક સાધન તરીકે પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.
યોગ સંગમમાં કેવી રીતે ભાગ લેવો:
મુલાકાત લો: yoga.ayush.gov.in/yoga-sangam
તમારા જૂથ અથવા સંગઠનની નોંધણી કરાવો
21 જૂન 2025ના રોજ યોગ સત્રનું આયોજન કરો
પ્રશંસાનું સત્તાવાર પ્રમાણપત્ર મેળવવા માટે ઇવેન્ટ પછી ભાગીદારીની વિગતો અપલોડ કરો
21 જૂનના રોજ, દેશભરમાં એક લાખથી વધુ સ્થાનો સુખાકારીના જીવંત અભયારણ્યોમાં પરિવર્તિત થશે. જે ભારતના દરેક પ્રાચીન જ્ઞાનની ભાવના અને વિશ્વને સર્વાંગી સ્વાસ્થ્યમાં દોરી જવાના તેના આધુનિક સંકલ્પને પ્રતિબિંબિત કરશે.
ચાલો આપણે સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત તરફના આપણા સહિયારા સંકલ્પને ફરીથી મજબૂત કરવા માટે સામૂહિક શ્વાસમાં સાથે આવીએ. સાથે મળીને, આપણે યોગ સંગમને સર્વાંગી સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુખાકારી માટે ભારતના આંદોલનનો પાયો બનાવીએ.
AP/IJ/GP/JD
(Release ID: 2133971)