કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેર ખરીદીમાં વધારો થયો


સરકાર તુવેર, અડદ અને મસુરના ઉત્પાદનનો 100% હિસ્સો MSP પર ખરીદવા માટે પ્રતિબદ્ધ

Posted On: 13 MAR 2025 10:59AM by PIB Ahmedabad

ભારત સરકારે 15માં નાણા પંચ ચક્ર દરમિયાન 2025-26 સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સંકલિત PM-AASHA યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવો પૂરા પાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થતી અસ્થિરતાને પણ નિયંત્રિત કરે છે. સંકલિત PM-AASHA યોજનાની ભાવ સહાય યોજના હેઠળ, નિર્ધારિત વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ને અનુરૂપ સૂચિત કઠોળ, તેલીબિયાં અને કોપરાની કેન્દ્રીય નોડલ એજન્સીઓ (CNAs) દ્વારા રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી કરવામાં આવે છે.

કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ખરીદી વર્ષ 2024-25 માટે રાજ્યના ઉત્પાદનના 100% જેટલા ભાવ સહાય યોજના (PSS) હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે.

સરકારે 2025ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે, દેશમાં કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે આગામી ચાર વર્ષ માટે 2028-29 સુધી રાજ્યના ઉત્પાદનના 100% જેટલા તુવેર, અડદ અને મસૂરની ખરીદી કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.

તદ્દનુસાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તુવેર (અરહર) મસુર અને અડદની ખરીદીને અનુક્રમે 13.22 LMT, 9.40 LMT અને 1.35 LMT મંજૂરી આપી. તેમણે ખરીફ 2024-25 સીઝન માટે ભાવ સહાય યોજના હેઠળ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં કુલ 13.22 LMT ખરીદીને મંજૂરી આપી.

આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોમાં ખરીદી શરૂ થઈ ગઈ છે અને 11.03.2025 સુધીમાં આ રાજ્યોમાં કુલ 1.31 LMT તુવેર (અરહર) ખરીદી કરવામાં આવી છે. જેનાથી આ રાજ્યોના 89,219 ખેડૂતોને ફાયદો થયો છે. અન્ય રાજ્યોમાં પણ તુવેર (અરહર)ની ખરીદી ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે. તુવેરની ખરીદી NAFEDના eSamridhi પોર્ટલ અને NCCF ના aSamyukti પોર્ટલ પર પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી પણ કરવામાં આવે છે. ભારત સરકાર NAFED અને NCCF નામની કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી તુવેરની 100% ખરીદી કરવા માટે પ્રતિબદ્ધ છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2111117) Visitor Counter : 45