માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપ-વે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી (12.4 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી

Posted On: 05 MAR 2025 3:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી સુધી 12.4 કિલોમીટર લાંબી રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 2,730.13 કરોડ છે.

અત્યારે હેમકુંડ સાહિબજીની યાત્રા ગોવિંદઘાટથી 21 કિ.મી.ની ઊંચાઈ પરની એક પડકારજનક યાત્રા છે અને તેને પગપાળા કે પોની કે પાલખીઓથી કરવામાં આવે છે. પ્રસ્તાવિત રોપ-વેનું આયોજન યાત્રાળુઓને સુવિધા પ્રદાન કરવા તથા હેમકુંડ સાહિબજી અને વેલી ઑફ ફ્લાવર્સની મુલાકાત લેનારા પ્રવાસીઓને સુવિધા પ્રદાન કરવા માટે કરવામાં આવ્યું છે. તેમજ તે ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબજી વચ્ચે તમામ ઋતુમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.

રોપ-વેને જાહેર-ખાનગી ભાગીદારીમાં વિકસાવવાની યોજના છે અને તે ગોવિંદઘાટથી ઘાંગરિયા (10.55 કિમી) સુધી મોનોસેબલ ડિટેચેબલ ગોંડોલા (એમડીજી) પર આધારિત હશે, જે ઘાંગરિયાથી હેમકુંડ સાહિબ જી (1.85 કિમી) સુધીની સૌથી અદ્યતન ટ્રિકેબલ ડિટેચેબલ ગોંડોલા (3એસ) ટેકનોલોજી સાથે એકીકૃત રીતે સંકલિત છે. જે પ્રતિ કલાક 1100  મુસાફરો પ્રતિ દિશા (PPHPD)ની ડિઝાઇન ક્ષમતા સાથે, જે દરરોજ 11000  મુસાફરોને વહન કરે છે.

રોપ-વે પ્રોજેક્ટથી નિર્માણ અને કામગીરી દરમિયાન તેમજ આતિથ્ય, પ્રવાસ, ખાદ્ય પદાર્થો અને પીણાં (એફએન્ડબી) અને પ્રવાસન જેવા સંલગ્ન પ્રવાસન ઉદ્યોગોમાં પણ આખું વર્ષ રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન થશે.

રોપ-વે પ્રોજેક્ટનો વિકાસ એ સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં, યાત્રાળુઓ માટે છેવાડાના વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધારવા અને આ ક્ષેત્રની ઝડપી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

હેમકુંડ સાહિબજી ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં 15,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત એક અત્યંત પૂજનીય તીર્થસ્થળ છે. પવિત્ર સ્થળ પર સ્થાપિત ગુરુદ્વારા મેથી સપ્ટેમ્બર વચ્ચેના વર્ષમાં લગભગ 5 મહિના માટે ખુલ્લું રહે છે અને વાર્ષિક આશરે 1.5  થી 2  લાખ યાત્રાળુઓ તેની મુલાકાત લે છે. હેમકુંડ સાહિબજીની યાત્રા એ પ્રખ્યાત વેલી ઓફ ફ્લાવર્સના પ્રવેશદ્વાર તરીકે પણ કામ કરે છે, જે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય ઉદ્યાન છે અને પ્રાચીન ગઢવાલ હિમાલયમાં સ્થિત છે.

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2108455) Visitor Counter : 23