પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય પુરસ્કાર - “ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર”થી નવાજવામાં આવ્યા

प्रविष्टि तिथि: 17 NOV 2024 8:11PM by PIB Ahmedabad

સ્ટેટ હાઉસ ખાતે એક સમારોહમાં ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયાના પ્રમુખ, મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-નાઈજીરિયા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અદભૂત યોગદાન અને તેમનાં રાજનીતિક કૌશલ્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર - "ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર" એનાયત કર્યો હતો. પુરસ્કારના પ્રશસ્તિ-પત્રમાં પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમના પરિવર્તનકારી શાસને બધા માટે એકતા, શાંતિ અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવ્યું છે.

પુરસ્કાર સ્વીકારતી વખતે પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના લોકોને અને ભારત અને નાઈજીરિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી ઐતિહાસિક મિત્રતાને સમર્પિત કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ માન્યતા બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અને ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓ પ્રત્યે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1969 પછી આ પુરસ્કારથી સન્માનિત થનારા પ્રથમ વિદેશી નેતા છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2074153) आगंतुक पटल : 134
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Telugu , Telugu , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam