ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો મૂળપાઠ

Posted On: 26 JUL 2024 11:28AM by PIB Ahmedabad

માનનીય સભ્યો, કૃતજ્ઞ રાષ્ટ્ર કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે, જેમાં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પ્રદર્શિત અદમ્ય સાહસ અને બહાદુરીને યાદ કરવામાં આવે છે. આ અવસર પર, આ ગૃહ આપણા સશસ્ત્ર દળોના નિશ્ચય અને પ્રતિબદ્ધતાને સલામ કરે છે,  જેમણે કારગિલની પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને મુશ્કેલ પ્રદેશો છતાં દુશ્મન પર શાનદાર વિજય મેળવવા માટે તેમની અસાધારણ બહાદુરીનો પરિચય આપ્યો હતો.

આ ગૃહ તે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પે છે જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન આપણા દેશની રક્ષા કરવા અને રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિતતાની જાળવણીમાં પોતાનો જીવ ન્યોછાવર કર્યો હતો.

હવે, હું માનનીય સભ્યોને વિનંતી કરીશ કે યુદ્ધમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આપણા બહાદુર સૈનિકોના સન્માનમાં ઉભા થઈને મૌન રાખે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2037328) Visitor Counter : 59