સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પીએલઆઈ યોજના હેઠળ ટેલિકોમ ઉપકરણોનું ઉત્પાદન વેચાણ 50,000 કરોડ રુપિયાના સીમાચિહ્નને પાર કરી ગયું


સરકારના પ્રયાસોના કારણે નાણાકીય વર્ષ 2023-24માં ટેલિકોમ ઉપકરણોની નિકાસ (1.49 લાખ કરોડ રુપિયા) અને આયાત ( 1.53 લાખ કરોડ રુપિયા) સમાન સ્તરે

પીએલઆઈ યોજનાઓ ઉત્પાદન, રોજગારીનું સર્જન અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપે છે

Posted On: 10 JUL 2024 9:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ભારતને 'આત્મનિર્ભર' બનાવવાનાં વિઝન સાથે સુસંગત થઈને ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો માટે ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક્સનાં મોટા પાયે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજનાને કારણે દેશમાં ઉત્પાદન, રોજગારીનું સર્જન, આર્થિક વૃદ્ધિ અને નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.

ટેલિકોમ પીએલઆઈ યોજનાના ત્રણ વર્ષની અંદર આ યોજનાએ 3400 કરોડ રુપિયાનું રોકાણ આકર્ષ્યું છે, ટેલિકોમ ઉપકરણોનું ઉત્પાદન 50,000 કરોડ રુપિયાના સીમાચિહ્નને પાર કરી ગયું છે અને કુલ 10,500 કરોડ રુપિયાની નિકાસ થઈ છે, જેણે 17,800થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું છે અને ઘણી વધુ આડકતરી રોજગારીનું સર્જન કર્યું છે. આ સિમાચિહ્ન ભારતના ટેલિકોમ ઉત્પાદન ઉદ્યોગની મજબૂત વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાને રેખાંકિત કરે છે, જે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારની પહેલોથી પ્રેરિત છે. પીએલઆઈ યોજનાનો હેતુ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરવાનો અને ભારતને ટેલિકોમ ઉપકરણોના ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. આ યોજના ઉત્પાદકોને ભારતમાં ઉત્પાદિત ઉત્પાદનોના વધારાના વેચાણના આધારે નાણાકીય પ્રોત્સાહનો પણ પ્રદાન કરે છે.

ઇલેક્ટ્રોનિક્સના મોટા પાયે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન માટેની ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનામાં મોબાઇલ ફોન અને તેના ઘટકોના ઉત્પાદનને આવરી લેવામાં આવ્યું છે. આ પીએલઆઈ યોજનાના પરિણામે ભારતમાંથી મોબાઈલ ફોનના ઉત્પાદન અને નિકાસ બંનેમાં ઘણો વધારો થયો છે. વર્ષ 2014-15માં ભારત મોબાઇલ ફોનનો મોટો આયાતકાર દેશ હતો, જ્યારે દેશમાં માત્ર 5.8 કરોડ યુનિટનું ઉત્પાદન થયું હતું, જ્યારે 21 કરોડ યુનિટની આયાત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2023-24માં ભારતમાં 33 કરોડ યુનિટનું ઉત્પાદન થયું હતું અને માત્ર 0.3 કરોડ યુનિટની આયાત કરવામાં આવી હતી અને લગભગ 5 કરોડ યુનિટની નિકાસ કરવામાં આવી હતી. મોબાઇલ ફોનની નિકાસનું મૂલ્ય 2014-15માં 1,556 કરોડ રૂપિયા અને 2017-18માં માત્ર 1,367 કરોડ રૂપિયાથી વધીને 2023-24માં 1,28,982 કરોડ રૂપિયા થઈ ગયું છે. વર્ષ 2014-15માં મોબાઇલ ફોનની આયાતની કિંમત 48,609 કરોડ રૂપિયા હતી અને 2023-24માં તે ઘટીને માત્ર 7,665 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ભારત ઘણા વર્ષોથી ટેલિકોમ ઉપકરણોની આયાત કરે છે, પરંતુ મેક-ઇન-ઇન્ડિયા અને પીએલઆઇ યોજનાને કારણે સંતુલન બદલાયું છે, જેના કારણે દેશમાં 50,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઉપકરણોનું ઉત્પાદન થયું છે.

કી હાઈલાઈટ્સ ટેલિકોમ (મોબાઈલ સિવાય):

  • ઉદ્યોગ વૃદ્ધિ: ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે અસાધારણ વૃદ્ધિ દર્શાવી છે, જેમાં પીએલઆઇ કંપનીઓ દ્વારા કુલ વેચાણ રૂ. 50,000 કરોડથી વધુ છે. નાણાકીય વર્ષ 2023-24માં પીએલઆઈ લાભાર્થી કંપનીઓ દ્વારા ટેલિકોમ એન્ડ નેટવર્કિંગ પ્રોડક્ટ્સનું વેચાણ બેઝ યર (નાણાકીય વર્ષ 2019-20)ની સરખામણીમાં 370 ટકા વધ્યું છે.
  • રોજગારીનું સર્જન: આ પહેલે માત્ર આર્થિક વૃદ્ધિમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ ઉત્પાદનથી માંડીને સંશોધન અને વિકાસ સુધી, 17,800થી વધારે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન અને અન્ય ઘણી પરોક્ષ રોજગારીનું સર્જન કરીને મૂલ્ય શ્રુંખલામાં રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન પણ કર્યું છે.
  • આયાત પરની નિર્ભરતામાં ઘટાડો: સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાને કારણે પીએલઆઈ યોજનાએ આયાતી ટેલિકોમ ઉપકરણો પર દેશની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જેના પરિણામે આયાત અવેજીમાં 60 ટકાનો ઘટાડો થયો છે અને ભારત એન્ટેના, જીપીએન (ગીગાબાઇટ પેસિવ ઓપ્ટિકલ નેટવર્ક) અને સીપીઇ (ગ્રાહક પરિસર ઉપકરણ)માં લગભગ આત્મનિર્ભર બની ગયું છે. આ રીતે આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થવાથી રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થયો છે અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળ્યું છે.
  • વૈશ્વિક સ્પર્ધાત્મકતાઃ ભારતીય ઉત્પાદકો વૈશ્વિક સ્તરે વધુને વધુ પ્રતિસ્પર્ધા કરી રહ્યાં છે અને સ્પર્ધાત્મક કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઓફર કરે છે.

ટેલિકોમ ઉપકરણોમાં રેડિયો, રાઉટર્સ અને નેટવર્ક ઉપકરણો જેવી જટિલ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીઓને સરકાર દ્વારા 5જી ઉપકરણોના ઉત્પાદન માટે લાભ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં ઉત્પાદિત 5જી ટેલિકોમ ઉપકરણો હાલમાં ઉત્તર અમેરિકા અને યુરોપમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે.

ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ માટેની પીએલઆઈ યોજના અને ડીઓટી અને એમઈઆઈટીવાય બંને દ્વારા સંચાલિત અન્ય સંબંધિત પહેલના પરિણામે ટેલિકોમ આયાત અને નિકાસ વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટ્યું છે, કારણ કે ચીજવસ્તુઓનું કુલ મૂલ્ય (ટેલિકોમ ઉપકરણો અને મોબાઇલ બંનેને એકસાથે મૂકવામાં આવે તો) નિકાસ કરવામાં આવે તો તે 1.49 લાખ કરોડ રુપિયાથી વધુ છે, જ્યારે નાણાકીય વર્ષ 23-24માં 1.53 લાખ કરોડ રુપિયાથી વધુની આયાત થઈ હતી.

હકીકતમાં, છેલ્લાં પાંચ વર્ષમાં ટેલિકોમ (ટેલિકોમ ઉપકરણો અને મોબાઇલ બંનેમાં મળીને) વેપાર ખાધ 68,000 કરોડ રુપિયાથી ઘટીને 4,000 કરોડ રુપિયા થઈ છે અને બંને પીએલઆઈ યોજનાઓએ ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, મુખ્ય ક્ષમતા અને અત્યાધુનિક ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં રોકાણને આકર્ષિત કરવા, કાર્યક્ષમતા  ખાતરી કરવા, સ્કેલની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવા, નિકાસમાં વધારો કરવા અને ભારતને વૈશ્વિક મૂલ્ય સાંકળનો અભિન્ન ભાગ બનાવવાની શરૂઆત કરી છે. તેણે ભારતની નિકાસ બાસ્કેટને પરંપરાગત કોમોડિટીઝમાંથી ઊંચા મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં પરિવર્તિત કરી છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2031980) Visitor Counter : 55