વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

પીએમ ગતિશક્તિ એ વિશ્વને ભારતની ક્રાંતિકારી રજૂઆત છે અને વૈશ્વિક સ્તરે માળખાગત સુવિધાઓ માટે ભવિષ્યનાં આયોજનનું સાધન છેઃ શ્રી પિયુષ ગોયલ


શ્રી ગોયલ પીએમ ગતિશક્તિની શરૂઆતને પીએમ મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દૂરદર્શી વિચારસરણીથી ગણાવે છે

શ્રી ગોયલે પ્રધાનમંત્રી મોદીના માળખાગત સુવિધાઓનાં વિતરણમાં સામાન્યતાને નકારી કાઢીને પ્રધાનમંત્રી ગતિશક્તિ તરફ દોરી જતા ઉત્કૃષ્ટતા અને પ્રદર્શનના અતૂટ પ્રયાસ પર ભાર મૂક્યો

શ્રી ગોયલે પીએમ ગતિશક્તિ દ્વારા ડેટા સ્તરોનું આંતરજોડાણ, વધુ સારું આયોજન, વિશ્લેષણ, દેખરેખ અને માળખાગત પરિયોજનાઓનાં અમલીકરણ પર પ્રકાશ પાડ્યો

Posted On: 10 JAN 2024 5:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલે પીએમ ગતિશક્તિને વિશ્વને ભારતની ક્રાંતિકારી રજૂઆત તરીકે બિરદાવી હતી, જેની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની લગભગ 18 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દૂરદર્શી વિચારસરણીથી થઈ હતી. આજે ગુજરાતના ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિમાં આયોજિત "પીએમ ગતિશક્તિઃ ઇન્ફોર્મડ ડિસિઝન-મેકિંગ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ" વિષય પરના સેમિનારમાં મુખ્ય સંબોધન કરતી વખતે મંત્રીએ પીએમ ગતિશક્તિને માત્ર ભારત અથવા એશિયામાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ માળખાગત સુવિધાઓ માટે ભવિષ્યનાં આયોજનનાં સાધન તરીકે રજૂ કરી હતી.

ભારતમાં માળખાગત વિકાસના ઐતિહાસિક સંદર્ભ પર પ્રકાશ પાડતા શ્રી ગોયલે પરિયોજનાઓમાં લાંબા વિલંબ અને ખર્ચમાં વધારા જેવા પરંપરાગત પડકારો પર ભાર મૂક્યો હતો. તેમણે માળખાગત સુવિધાઓનાં વિતરણમાં સામાન્યતાને નકારી કાઢીને પ્રધાનમંત્રીના ઉત્કૃષ્ટતા અને પ્રદર્શનના અતૂટ પ્રયાસ પર ભાર મૂક્યો હતો. પીએમ ગતિશક્તિની ઉત્પત્તિ પર પ્રતિબિંબિત કરતા મંત્રીએ વિનાશક ભૂકંપ પછી ગુજરાતનાં પુનઃનિર્માણ માટે પ્રધાનમંત્રીના કેન્દ્રિત પ્રયાસોને યાદ કર્યા હતા. ગુજરાતને રોકાણનાં સ્થળ તરીકે પુનઃસ્થાપિત કરવામાં માળખાગત સુવિધાઓની મહત્ત્વની ભૂમિકાને સ્વીકારીને પ્રધાનમંત્રીએ મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખાની કલ્પના કરી હતી.

શ્રી ગોયલે 'પીએમ ગતિશક્તિ ગુજરાત સંગ્રહ'નું વિમોચન કરતી વખતે પીએમ ગતિશક્તિનાં નોંધપાત્ર પરિણામો પર ભાર મૂક્યો હતો. તેમણે પીએમ ગતિશક્તિમાં સમાવિષ્ટ ગતિશીલતા, લવચીકતા અને તકનીકી કૌશલ્યની પ્રશંસા કરી હતી. ભૂ-સ્થાનિક મેપિંગ અને ટેક્નૉલોજી આધારિત ઉકેલોનાં મહત્વ પર ભાર મૂકતા શ્રી પિયુષ ગોયલે પ્રોજેક્ટની ગતિશીલ પ્રકૃતિ પર ભાર મૂક્યો હતો, જે સતત વિકસતી રહી છે અને નવા ડેટા સ્તરોનો સમાવેશ કરવા માટે અનુકૂળ બની રહી છે. તેમણે ડેટા સ્તરોનાં આંતરજોડાણ પર પ્રકાશ પાડ્યો હતો, જે પીએમ ગતિશક્તિ દ્વારા માળખાગત પરિયોજનાઓનું વધુ સારું આયોજન, વિશ્લેષણ, દેખરેખ અને અમલીકરણ સક્ષમ બનાવે છે.

વપરાશકારો પર વિલંબિત પરિયોજનાઓની અસર વિશે બોલતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિલંબિત માળખાગત પરિયોજનાઓ ખર્ચમાં વધારો કરે છે, જે નાગરિકોની નાણાકીય સ્થિતિને અસર કરે છે. તેમણે નાગરિકોને મહત્તમ લાભ પહોંચાડવા માટે ઝડપી, વધુ કાર્યક્ષમ અને ખર્ચ-અસરકારક માળખાગત વિકાસ માટે પીએમ ગતિશક્તિનાં નોંધપાત્ર યોગદાનની નોંધ લીધી હતી. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટનો હવાલો આપતા શ્રી ગોયલે મોટા પાયે માળખાગત વિકાસ પરિયોજનાઓનાં કાર્યક્ષમ આયોજન માટે પીએમ ગતિશક્તિ દ્વારા થયેલા અપાર લાભ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી ગોયલે નોંધ્યું હતું કે પીએમ ગતિશક્તિ ભારતની શક્તિનું પ્રતીક છે અને રાજકીય સીમાઓને પાર કરીને વિકાસની તકો પૂરી પાડીને વિશ્વ કક્ષાના માળખાગત વિકાસના નવા યુગની શરૂઆત કરે છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં સફળ આયોજન પાછળના અનુકરણીય પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (DPIIT)નાં વિશેષ સચિવ (લોજિસ્ટિક્સ) સુશ્રી સુમિતા ડાવરાની આગેવાની હેઠળની પીએમ ગતિશક્તિ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઉદ્યોગ નિષ્ણાતો, રાજ્ય વિભાગો અને પીએમ ગતિશક્તિ નેટવર્ક પ્લાનિંગ ગ્રૂપ વગેરેની ભાગીદારી જોવા મળી હતી, જે રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપશે અને વિચારોનું આદાનપ્રદાન કરશે જે આ પરિવર્તનકારી પહેલનો મહત્તમ લાભ લેવામાં મદદ કરશે.

આખો દિવસ ચાલનારા આ સેમિનારમાં (1) ટેક્નિકલ સત્ર, (2) પૂર્ણ સત્ર અને (3) પેનલ ચર્ચા સામેલ હતી. પૂર્ણ સત્રમાં, ડી.પી.આઈ.આઈ.ટી.નાં વિશેષ સચિવે (લોજિસ્ટિક્સ) "પીએમ ગતિશક્તિ પહેલઃ ભારતના માળખાગત લેન્ડસ્કેપમાં પરિવર્તન"ને સંબોધન કર્યું હતું, જેમાં 13 ઑક્ટોબર, 2021ના રોજ શરૂ કરવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ ઈઝ ઑફ લિવિંગ અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવા માટે આગામી પેઢીના માળખાગત સુવિધાનું નિર્માણ કરવાનો છે તે દર્શાવવામાં આવ્યું હતું. માળખાગત સુવિધાનાં વૈશ્વિક આયોજન માટે એક સાધન તરીકે પીએમ ગતિશક્તિ, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ, એક્ઝિમ લોજિસ્ટિક્સ અને પીએમ ગતિશક્તિ સાથે નાણાકીય સંસ્થાઓનું સહયોગ એ મુખ્ય મુદ્દાઓ હતા જેના પર ચર્ચા કરવામાં આવી હતી.

વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિને વેગ આપવામાં પીએમ ગતિશક્તિની નિર્ણાયક ભૂમિકાને માન્યતા આપતા, આ સેમિનાર વ્યૂહરચનાઓનું અન્વેષણ કરવા અને વ્યાપક અને ટકાઉ વિકાસ માટે માહિતીસભર, ડેટા સંચાલિત નિર્ણય લેવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય હિતધારકોને એક સાથે લાવ્યો હતો. તેણે ઈઝ ઑફ લિવિંગ અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને સુધારીને આ પરિવર્તનકારી પહેલની અસરને મહત્તમ બનાવવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને ભલામણો ઉત્પન્ન કરવામાં મદદ કરી હતી.

YP/JD



(Release ID: 1994949) Visitor Counter : 83