સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

DoTએ ગભરાટ ફેલાવવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય નંબરો પરથી થતા મેલિશિયસ કૉલ્સ અંગે નાગરિકોને સલાહ આપી


નાગરિકોને આવા કૉલની જાણ DoT અથવા ટેલિકોમ સેવા પ્રદાતાઓને કરવા જણાવ્યું

प्रविष्टि तिथि: 04 JAN 2024 5:08PM by PIB Ahmedabad

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), સંચાર મંત્રાલય, નાગરિકોને સલાહ આપે છે કે તેઓ ભારતના સ્ટોક એક્સચેન્જો અને ટ્રેડિંગમાં વિક્ષેપ પેદા કરવાનો દાવો કરતા આંતરરાષ્ટ્રીય નંબરોમાંથી મેલિશિયસ ઇનકમિંગ કૉલ્સથી સાવચેત રહે. ગભરાટ ફેલાવવાના હેતુથી રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા આવા દૂષિત કોલ કરવામાં આવે છે.

DoTએ તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને આવા નંબરો પરથી દૂષિત કોલ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. નાગરિકોને, આવા કૉલ્સ પ્રાપ્ત થવા પર, help-sancharsaathi[at]gov[dot] અથવા તેમના ટેલિકોમ સેવા પ્રદાતાઓ પર DoTને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે.

YP/JD


(रिलीज़ आईडी: 1993136) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Odia , Telugu