વિદેશ મંત્રાલય

કેબિનેટે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ખોલવાની મંજૂરી આપી

Posted On: 27 DEC 2023 3:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ઓકલેન્ડમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ખોલવાથી ભારતના રાજદ્વારી પદચિહ્નને વધારવામાં અને ભારતના વધતા વૈશ્વિક જોડાણને ધ્યાનમાં રાખીને ભારતના રાજદ્વારી પ્રતિનિધિત્વને મજબૂત બનાવવામાં મદદ મળશે. આનાથી ભારતના વ્યૂહાત્મક અને વ્યાપારી હિતોને પ્રોત્સાહન આપવામાં અને ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના કલ્યાણને વધુ સારી રીતે સેવા આપવામાં પણ મદદ મળશે.

કોન્સ્યુલેટ 12 મહિનાની સમયમર્યાદામાં ખોલવામાં આવશે અને સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે તેવી શક્યતા છે.

YP/GP/JD



(Release ID: 1990798) Visitor Counter : 107