પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવા બદલ ગોવાવાસીઓને અભિનંદન આપ્યા

Posted On: 23 DEC 2023 4:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવાના પ્રસંગે ગોવાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે આ પુલ કનેક્ટિવિટી સુધારીને પ્રવાસન અને વાણિજ્યને વેગ આપશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવા બદલ ગોવાના લોકોને અભિનંદન! આ ચાવીરૂપ પ્રોજેક્ટ ઉત્તર અને દક્ષિણ ગોવા વચ્ચે કનેક્ટિવિટી સુધારશે, આમ આવનારા સમયમાં પ્રવાસન અને વાણિજ્યને વેગ આપશે."

YP/JD



(Release ID: 1989921) Visitor Counter : 85