પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જયપુરમાં ધાનક્ય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
25 SEP 2023 9:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં ધાનક્ય ખાતે દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય સ્મારક ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "અમારી સરકાર અંત્યોદયના સિદ્ધાંતને અનુસરીને દેશના સૌથી ગરીબ લોકો માટે જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે."
પ્રધાનમંત્રી મોદીએ પોસ્ટ કર્યું, "આજે, હું ધાનક્યા, જયપુરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય સ્મારક પર ગયો હતો અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની જન્મજયંતિ પર, તેમના જીવન સાથે સંબંધિત વિવિધ પાસાઓ જોઈને મેં એક નવી ઉર્જાનો અનુભવ કર્યો હતો. અમારી સરકાર તેમના અંત્યોદયના સિદ્ધાંતને અનુસરીને દેશના ગરીબમાં ગરીબનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે."
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1960733)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam