પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જન ધન ખાતામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પર ખુશી વ્યક્ત કરી
જન ધન ખાતા 50 કરોડને પાર
Posted On:
19 AUG 2023 9:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનધન ખાતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે.
શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા આપણી નારી શક્તિના છે.
પીઆઈબી ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં પીએમએ કહ્યું;
“આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
તે જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા આપણી નારી શક્તિના છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં 67% ખાતા ખોલવામાં આવતાં, અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે નાણાકીય સમાવેશના લાભો આપણા દેશના દરેક ખૂણે પહોંચે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1950336)
Visitor Counter : 209
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam