પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી મદનદાસ દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 24 JUL 2023 9:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ RSSના વરિષ્ઠ નેતા શ્રી મદનદાસ દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે શ્રી મદનદાસ દેવીએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યું. પ્રધાનમંત્રીએ દિવંગત નેતા સાથેના તેમના ગાઢ અંગત જોડાણને પણ યાદ કર્યું અને કહ્યું કે તેમની પાસેથી ઘણું શીખ્યા.

પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:

"શ્રી મદનદાસ દેવીજીના નિધનથી અત્યંત દુ:ખ થયું. તેમણે પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું. મારો તેમની સાથે ગાઢ સંબંધ હતો એટલું જ નહીં, પણ તેમની પાસેથી હંમેશા ઘણું શીખવા મળ્યું છે. ભગવાન આ દુઃખની ઘડીમાં તમામ કાર્યકરો અને તેમના પરિવારોને શક્તિ આપે. ઓમ શાંતિ!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1941976) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam