પ્રધાનમંત્રીનું કાર્યાલય

અમરનાથ યાત્રા એ આપણા વારસાની દિવ્ય અને ભવ્ય અભિવ્યક્તિ છેઃ પ્રધાનમંત્રી

Posted On: 01 JUL 2023 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાના અવસર પર ભક્તોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે શ્રી અમરનાથ યાત્રા એ આપણી ધરોહરનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“શ્રી અમરનાથજીની યાત્રા એ આપણા વારસાનું એક દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે. હું ઈચ્છું છું કે બાબા બર્ફાનીના આશીર્વાદથી તમામ ભક્તોના જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થાય, સાથે જ આપણો દેશ અમૃતકાળમાં સંકલ્પથી સિદ્ધિ તરફ ઝડપથી આગળ વધે. જય બાબા બર્ફાની!”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1936996) Visitor Counter : 136