પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી કુમારઘાટ ખાતે ઉલ્ટા રથયાત્રા દરમિયાન થયેલી દુર્ઘટનાથી વ્યથિત

પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 28 JUN 2023 9:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના કુમારઘાટ ખાતે ઉલ્ટા રથયાત્રા દરમિયાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

PMO ટ્વીટ્સના થ્રેડમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

કુમારઘાટ ખાતે ઉલ્ટા રથયાત્રા દરમિયાન થયેલી દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે: PM @narendramodi”

ત્રિપુરાની દુર્ઘટનામાં PMNRF તરફથી રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1936157) Visitor Counter : 141