કાયદો અને ન્યાય મંત્રાલય

વર્ષાંત સમીક્ષા 2022: કાનૂની બાબતોનો વિભાગ


નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્રની સ્થાપના 13 જૂન, 2022ના રોજ અધિસૂચના બહાર પાડીને દ્વારા કરવામાં આવી

કાનૂની બાબતોના વિભાગ દ્વારા 27 મે, 2022 ના રોજ નોટરી ઓનલાઇન અરજી પોર્ટલ (NOAP) શરૂ કરવામાં આવ્યું

કાયદા અને ન્યાય મંત્રાલયે બંધારણીય સિદ્ધાંતોને પુનર્જીવિત અને મજબૂત કરવાના આદેશને પરિપૂર્ણ કરવા માટે બંધારણ દિવસની ઉજવણી કરી

Posted On: 26 DEC 2022 12:48PM by PIB Ahmedabad

 

  • રાષ્ટ્રના નીતિ ઘડવૈયાઓને ભારતીય કાનૂની પ્રણાલીને લગતા સંખ્યાબંધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક સામાન્ય મંચ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય કાયદા મંત્રીઓ અને કાયદા સચિવો પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
  • 7 નવેમ્બર, 2022ના રોજ સરકાર દ્વારા 22મા કાયદા પંચના અધ્યક્ષ, પૂર્ણ-સમય અને અંશકાલિક સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા
  • વર્ષ દરમિયાન LIMBS પોર્ટલમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી
  • યુનાઇટેડ કિંગડમના લંડન ખાતે 5 જુલાઇ, 2022 ના રોજ 'આર્બિટ્રેટિંગ ઇન્ડો-યુકે કોમર્શિયલ ડિસ્પ્યુટ્સ' પર પરિષદ યોજાઇ

 

  1. કાનૂની સલાહકારો દ્વારા સલાહ આપવામાં આવી

કાનૂની બાબતોના વિભાગનું પ્રાથમિક કાર્ય ભારત સરકારના સંદર્ભ મંત્રાલય/વિભાગને કાનૂની સલાહકાર તરીકેની ક્ષમતામાં સલાહ પૂરી પાડવાનું છે. આ વર્ષે વિભાગને કાયદાકીય સલાહ માટે વિવિધ મંત્રાલયો/વિભાગો તરફથી 5417 સંદર્ભો પ્રાપ્ત થયા છે. કાનૂની સલાહ માટેના પ્રાપ્ત થયેલા સંદર્ભોમાં નામદાક સર્વોચ્ચ અદાલત, ઉચ્ચ અદાલતો અને અન્ય ન્યાયિક/અર્ધ-ન્યાયિક મંચો સમક્ષ SLP/સમીક્ષા/અપીલ દાખલ કરવા માટેનો અભિપ્રાય, જવાબી સોગંદનામાની ચકાસણી, કન્વિન્સિંગ બાબતો, રાજ્યના બિલો ઘડવા માટેની યોગ્યતા અને ખાનગી સભ્ય બિલો, કાયદાકીય અને બિન-કાનૂની દરખાસ્તો ધરાવતી કેબિનેટની નોંધો અને કાનૂની જટિલતાઓ સામેલ હોય તેવા અન્ય પરચુરણ સંદર્ભો પર અભિપ્રાય સામેલ છે.

 

  1. મુકદ્દમાની બાબતો સંભાળી
  1. સેન્ટ્રલ એજન્સી સેક્શન (CAS) - સેન્ટ્રલ એજન્સી સેક્શન કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો/વિભાગો, દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ, કેન્દ્રશાસિત પ્રદેશો, ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલની ઓફિસ ('CAG') અને CAG હેઠળની તમામ ક્ષેત્રીય કચેરીઓ વતી સર્વોચ્ચ અદાલતમાં દાવો કરે છે.

 

  1. મુકદ્દમા (ઉચ્ચ અદાલત) વિભાગ - મુકદ્દમા (ઉચ્ચ અદાલત) વિભાગ ભારત સરકારના તમામ મંત્રાલયો/વિભાગો વતી દિલ્હી ઉચ્ચ અદાલત સમક્ષ મુકદ્દમાઓનું સંચાલન કરે છે જેમાંથી આવકવેરા વિભાગ બાકાત રાખવામાં આવ્યો છે. ભારત સંઘ વતી મુકદ્દમાના કામના પ્રકારોમાં ભારતના બંધારણની કલમ 226 અને 227 હેઠળ દિવાની અને ફોજદારી રિટ પિટિશન, નાગરિક અન્ય અરજીઓ, ડિવિઝન ખંડપીઠની અપીલો, કંપનીની અરજીઓ, અમલ માટેની અરજીઓ અને ફોજદારી અન્ય વગેરેનો સમાવેશ થાય છે. દિલ્હી ઉચ્ચ અદાલત સિવાયની અદાલતોમાં હાથ ધરવામાં આવેલા અને લડાયેલા કેસો સામાન્ય રીતે આનાથી સંબંધિત છે: - રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચ, ઔદ્યોગિક ટ્રિબ્યુનલ-કમ-શ્રમ અદાલત, NCLT, NCLAT, બિન-કાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન ટ્રિબ્યુનલ), દેવા વસૂલાત ટ્રિબ્યુનલ, દેવા વસુલાત અપીલ ટ્રિબ્યુનલ, ઇમિગ્રેશન અપીલ સમિતિ, ઇલેક્ટ્રિસિટી માટે અપીલ ટ્રિબ્યુનલ, કેન્દ્રીય માહિતી પંચ, જિલ્લા ગ્રાહક ફોર્મ, NGT વગેરે. આ વર્ષે 30.11.2022 સુધીમાં કુલ 7903 કેસ પ્રાપ્ત થયા હતા.

 

  1. મુકદ્દમા CAT (PB) દિલ્હી સેલ - મુકદ્દમા CAT (PB) દિલ્હી સેલ ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગને લગતા કેસો/મુકદ્દમાની દેખરેખ રાખે છે અને CAT (PB), દિલ્હી સમક્ષ UoIના હિતનો બચાવ કરવા માટે માન્ય પેનલમાંથી કાઉન્સિલની નિમણૂક કરે છે. આ વર્ષે કુલ 92936 કેસ નોંધાયા હતા, જેમાંથી 75449 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને 17436 કેસ ચુકાદા માટે પડતર છે.
  1. મુકદ્દમા (નીચલી અદાલત) વિભાગ - મુકદ્દમા (નીચલી અદાલત) વિભાગ ભારત સરકારના તમામ મંત્રાલયો/વિભાગો વતી દિલ્હીમાં વિવિધ જિલ્લા અદાલતો, ગ્રાહક તકરાર નિવારણ આયોગ/ટ્રિબ્યુનલ સમક્ષ મુકદ્દમાઓનું સંચાલન કરે છે. આ વર્ષે કુલ 784 કેસ પ્રાપ્ત થયા હતા જેમાંથી 15 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને 766 કેસ ચુકાદા માટે પડતર છે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન 284 પેનલ એડવોકેટ્સને 3 વર્ષના સમયગાળા માટે રોકવામાં આવ્યા છે.
  2. આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક લવાદનું સંચાલન કર્યું

ભારતે સંખ્યાબંધ દેશો સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિઓ (BIT) અથવા દ્વિપક્ષીય રોકાણ પ્રોત્સાહન અને સુરક્ષા કરાર (BIPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો રોકાણકારો અને રોકાણના દેશ વચ્ચેના વિવાદોનું સમાધાન કરવા માટે ઇન્વેસ્ટર સ્ટેટ ડિસ્પ્યુટ સેટલમેન્ટ (ISDS) વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે. 2015માં, મંત્રીમંડળ દ્વારા આપવામાં આવેલી મંજૂરી સાથે, BIPA/BIT ને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સન સેટ જોગવાઇના આધારે રોકાણકારો ISDS વ્યવસ્થાતંત્ર હેઠળ 10 વર્ષના બીજા સમયગાળા માટે વિવાદો ઉભા કરી શકે છે. આજની તારીખ સુધીમાં કાનૂની બાબતોના વિભાગ દ્વારા 9 (નવ) લવાદ કેસ હાથ ધરવામાં આવ્યા છે જેમાં એન્ટ્રિક્સ-દેવાસ, એન્ટ્રિક્સ-દેવાસ વાણિજ્યિક/BIT લવાદ, ખૈતાન-લૂપ ટેલિકોમ KOWEPO, GPIX, એસ્સાર, (એરસેલ) મેક્સિસ કોમ્યુનિકેશન બરહાડ (MAD), જલધી ઓવરસીઝ જેવા વિવિધ રોકાણકારો સામેલ છે.

  1. મધ્યસ્થી બિલ, 2021

મધ્યસ્થતાને પ્રોત્સાહન આપવા, પ્રોત્સાહિત કરવા અને સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે, ખાસ કરીને નાગરિક અને વ્યાપારી વિવાદોના નિરાકરણ માટે સંસ્થાકીય મધ્યસ્થી માટે, મધ્યસ્થી સમાધાન કરાર લાગુ કરવા માટે, મધ્યસ્થીઓની નોંધણી માટે એક સંસ્થા પ્રદાન કરવા માટે, સામુદાયિક મધ્યસ્થતાને પ્રોત્સાહન આપવા માટે અને ઓનલાઇન મધ્યસ્થતાને સ્વીકાર્ય અને ઓછી ખર્ચાળ પ્રક્રિયા તરીકે તૈયાર કરવા માટે અને તેની સાથે જોડાયેલી અથવા આનુષંગિક બાબતો માટે, 20.12.2021 ના રોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન મધ્યસ્થી પર એક વ્યાપક સ્વતંત્ર કાયદો રજૂ કરવામાં આવ્યો છે.

આ બિલને 20.12.2021ના રોજ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિને તપાસ કરવા અને અહેવાલ આપવા માટે મોકલવામાં આવ્યું હતું. સમિતિએ 13.07.2022 ના રોજ તેનો અહેવાલ સુપરત કર્યો છે અને અહેવાલની તપાસના અનુસંધાનમાં, અધિકૃત સુધારાઓ રજૂ કરવા અને મધ્યસ્થી ખરડો, 2021 પસાર કરી શકાય તેવો બનાવવા માટે વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

  1. લવાદ અને સમાધાન અધિનિયમ, 1996 અને ભારતીય લવાદ કાઉન્સિલ

લવાદ અને સમાધાન (સુધારો) અધિનિયમ, 2019 એ ભારતીય લવાદ કાઉન્સિલ (કાઉન્સિલ)ની સ્થાપના માટે જોગવાઇ કરે છે જે લવાદના સંતોષકારક સ્તરને સુનિશ્ચિત કરવા માટે ધોરણોની રૂપરેખા ઘડશે, સમીક્ષા કરશે અને અપડેટ કરશે અને લવાદ સંસ્થાઓના ગ્રેડિંગને સંચાલિત કરતી નીતિઓ પણ ઘડશે. કાઉન્સિલ દેશની લવાદ સંસ્થાઓમાં ધોરણોમાં એકરૂપતા લાવવા માટે માપદંડો ઘડશે. કાઉન્સિલની સ્થાપનાનો ઉદ્દેશ્ય લવાદ અને સમાધાન અધિનિયમ, 1996ની કલમ 11 હેઠળ લવાદકર્તાની નિમણૂકના હેતુ માટે પક્ષકારો સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતો અને કાઉન્સિલ ગ્રેડ આર્બિટ્રલ સંસ્થાઓનો સંપર્ક કરી શકે તેવી જોગવાઇ પ્રદાન કરીને લવાદની બાબતોમાં અદાલતોના હસ્તક્ષેપને ઘટાડવાનો છે.

કાઉન્સિલની સ્થાપનાને ઝડપી બનાવવાના હેતુથી, નીચેના નિયમો સૂચિત કરવામાં આવ્યા છે:-

  1. ભારતીય લવાદ કાઉન્સિલ (ચેરપર્સન અને સભ્યોને ચુકવવાપાત્ર નિયમો અને શરતો અને પગાર અને ભથ્થા) નિયમો, 2022;
  2. ભારતીય લવાદ કાઉન્સિલ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની સેવાની લાયકાતો, નિમણૂક અને અન્ય નિયમો અને શરતો) નિયમો, 2022;
  3. ભારતીય લવાદ કાઉન્સિલ (અંશ-કાલિન સભ્યોને ચુકવવાપાત્ર પ્રવાસ અને અન્ય ભથ્થા) નિયમો, 2022;
  4. ભારતીય લવાદ કાઉન્સિલ (અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની સંખ્યા, તેમની લાયકાતો, નિમણૂક અને અન્ય નિયમો અને શરતો) નિયમો, 2022.

 

હાલમાં, ભારતીય લવાદ કાઉન્સિલની સ્થાપના માટે અન્ય કામો ચાલી રહ્યા છે.

 

  1. વાણિજ્યિક અદાલતો અધિનિયમ, 2015

વાણિજ્યિક અદાલતો અધિનિયમ, 2015 ઉચ્ચ અદાલતોમાં વાણિજ્યિક અદાલતો, વાણિજ્યિક અપીલ અદાલતો, વાણિજ્ય વિભાગ અને વાણિજ્યિક અપીલ વિભાગની રચના માટે ચોક્કસ મૂલ્યના વાણિજ્યિક વિવાદો અને તેની સાથે સંકળાયેલી અથવા આકસ્મિક બાબતોના નિર્ણય માટે જોગવાઇ કરે છે. આ અધિનિયમે વિશ્વ બેંકના ડુઇંગ બિઝનેસ રિપોર્ટમાં ભારતનું રેન્કિંગ સુધારવામાં મદદ કરી છે.

જમ્મુ અને શ્રીનગર ખાતેના અધિક ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશની અદાલતો અનુક્રમે જમ્મુ અને શ્રીનગર માટે વાણિજ્યિક અદાલત તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં મુખ્ય જિલ્લા અદાલતોને વાણિજ્યિક અદાલતો તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાની નીચે 758 વાણિજ્યિક અદાલત, ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાએ 494 વાણિજ્યિક અદાલત, ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાએ 379 વાણિજ્યિક અપીલ વિભાગ અદાલત છે. ઉચ્ચ અદાલતમાં 25 વાણિજ્યિક વિભાગ અને 38 વાણિજ્યિક અપીલ વિભાગની રચના કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે:

 

અનુ. નં.

ઉચ્ચ અદાલતો

વાણિજ્યિક અદાલત (ડિસ્ટ્રિક્ટ જજ સ્તરથી નીચે)

વાણિજ્યિક અદાલત (ડિસ્ટ્રિક્ટ જજ સ્તરે)

વાણિજ્યિક અપીલ અદાલત (ડિસ્ટ્રિક્ટ જજ સ્તર)

વાણિજ્યિક વિભાગ

વાણિજ્યિક અપીલ વિભાગ

  1.  

ઝારખંડ ઉચ્ચ અદાલત

24

24

24

0

1

  1.  

હિમાચલ પ્રદેશ ઉચ્ચ અદાલત

Nil

Nil

Nil

2

1

  1.  

સિક્કિમ ઉચ્ચ અદાલત

06

06

06

N.A.

01

  1.  

દિલ્હી ઉચ્ચ અદાલત (30.09.2022ના રોજની સ્થિતિ મુજબ)

NA

35

NA

9

7

  1.  

ગુવાહાટી ઉચ્ચ અદાલત (30.09.2022ના રોજની સ્થિતિ મુજબ)

34

4

34

-

-

  1.  

મદ્રાસ ઉચ્ચ અદાલત (30.09.2022ના રોજની સ્થિતિ મુજબ)

110

34

29

3

3

  1.  

મેઘાલય ઉચ્ચ અદાલત

-

1

-

-

1

  1.  

ઉત્તરાખંડ ઉચ્ચ અદાલત (30.09.2022ના રોજની સ્થિતિ મુજબ)

-

2

-

ઉચ્ચ અદાલતમાં ડિવિઝન ખંડપીઠ

ઉચ્ચ અદાલતમાં ડિવિઝન ખંડપીઠ

  1.  

પટણા ઉચ્ચ અદાલત

117

37

37

2

1

  1.  

મણીપુર ઉચ્ચ અદાલત

Nil

Nil

Nil

--

1

  1.  

કેરળ ઉચ્ચ અદાલત (31.11.2022ના રોજની સ્થિતિ મુજબ)

56

0

14

0

1

  1.  

કલકત્તા ઉચ્ચ અદાલત

N.A.

4

N.A.

ઉચ્ચ અદાલત, કલકત્તા

ઉચ્ચ અદાલત, કલકત્તા

  1.  

ગુજરાત ઉચ્ચ અદાલત (31.11.2022ના રોજની સ્થિતિ મુજબ)

118

76

32

1

1

  1.  

પંજાબ અને હરિયાણા ઉચ્ચ અદાલત

181

98

103

1

2

  1.  

કર્ણાટક ઉચ્ચ અદાલત (30.09.2022ના રોજની સ્થિતિ મુજબ)

-

54

-

-

3

  1.  

બોમ્બે ઉચ્ચ અદાલત (30.09.2022ના રોજની સ્થિતિ મુજબ)

101

90

88

4

4

  1.  

ત્રિપુરા ઉચ્ચ અદાલત

-

9

1

-

1

  1.  

છત્તીસગઢ ઉચ્ચ અદાલત (30.09.2022ના રોજની સ્થિતિ મુજબ)

-

1

-

-

1

  1.  

મધ્યપ્રદેશ ઉચ્ચ અદાલત (01.12.2022ના રોજની સ્થિતિ મુજબ)

7

5

1

સ્થાપિત નથી

3

  1.  

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ઉચ્ચ અદાલત

તારીખ:- 02.07.2019ના રોજ બહાર પાડવામાં આવેલી અધિસૂચના LD (A) 2005/22-II મુજબ, જે કાયદા, ન્યાય અને સંસદીય બાબતોના વિભાગ (ન્યાયિક વહીવટ વિભાગ) નાગરિક સચિવાલય, શ્રીનગર/જમ્મુ દ્વારા બહાર પાડવામાં આવી છે તે મુજબ જમ્મુ અને કાશ્મીર ખાતે અધિક ડિસ્ટ્રિક્ટ અદાલતના જજ (બેંક કેસો)ની અદાલતો જમ્મુ અને કાશ્મીર જિલ્લા માટે અનુક્રમે વાણિજ્યિક અદાલતો તરીકે નિયુક્ત કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અદાલતને વાણિજ્યિક અદાલત તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની ઉચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલા વાણિજ્યિક મૂલ્ય (> રૂ. 500 કરોડ) સહિતના વાણિજ્યિક કેસો તે અઠવાડિયાના રોસ્ટર મુજબ રચાયેલી ખંડપીઠમાં સૂચિબદ્ધ છે.

  1.  

આંધ્રપ્રદેશ ઉચ્ચ અદાલત

--

2

--

1

1

  1.  

ઓરિસ્સા ઉચ્ચ અદાલત (30.09.2022ના રોજની સ્થિતિ મુજબ)

4

--

10

NA

1

  1.  

રાજસ્થાન ઉચ્ચ અદાલત (31.11.2022ના રોજની સ્થિતિ મુજબ)

--

12

--

--

2

 

  1. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર (NDIAC)

નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર અધિનિયમ, 2019, સંસ્થાકીય લવાદની સુવિધા માટે સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા બનાવવા માટે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, એટલે કે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્રની સ્થાપના માટે જોગવાઇ કરે છે. NDIAC, અન્ય બાબતોની સાથે, સમાધાન, મધ્યસ્થી અને લવાદ સંબંધિત કાર્યવાહી માટે સુવિધાઓ અને વહીવટી સહાય પૂરી પાડે છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે લવાદની પેનલ જાળવી રાખે છે; સંશોધન અને અભ્યાસને પ્રોત્સાહન આપવાનું, શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવાનું અને લવાદ, સમાધાન, મધ્યસ્થી અને અન્ય વૈકલ્પિક વિવાદ નિરાકરણની બાબતોમાં પરિષદો અને પરિસંવાદોનું આયોજન કરવાનું કામ કરે છે. આ કેન્દ્રની સ્થાપના 13 જૂન, 2022ની અધિસૂચના દ્વારા કરવામાં આવી છે. આ કેન્દ્રના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરી દેવામાં આવી છે અને તેઓ ટૂંક સમયમાં કાર્યભાર સંભાળે તેવી શક્યતા છે.

 

નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર અધિનિયમ, 2019 હેઠળ જરૂરી નીચેના નિયમો પણ કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત કરવામાં આવ્યા છે:-

  1. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર (રજિસ્ટ્રાર, કાઉન્સેલ અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓના હોદ્દાની સંખ્યા અને ભરતી) નિયમો, 2022;
  2. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર (નિયમો અને શરતો અને અધ્યક્ષ અને પૂર્ણ-કાલિન સભ્યોને ચુકવવાપાત્ર પગાર અને ભથ્થાઓ) નિયમો, 2022;
  3. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર (એકાઉન્ટ્સના વાર્ષિક સ્ટેટમેન્ટનું ફોર્મ) નિયમો, 2022;
  4. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર (અંશ-કાલિન સભ્યોને ચુકવવાપાત્ર પ્રવાસ અને અન્ય ભથ્થા) નિયમો, 2022.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત અનુભવી લવાદીઓને પેનલમાં સામેલ કરવા માટે કેન્દ્ર હેઠળ ચેમ્બર ઓફ આર્બિટ્રેશનની સ્થાપના કરવામાં આવી રહી છે. પોતાને વ્યવસાયિક રીતે સંચાલિત લવાદ કેન્દ્ર તરીકે સ્થાપિત કરીને, ભારતમાં વ્યવસાય કરવા અંગેના રોકાણકારોની ધારણામાં આ કેન્દ્ર એક ગેમ-ચેન્જર રહેશે.

 

  1. કાનૂની શિક્ષણ

કાનૂની શિક્ષણ પર 30.04.2022ના રોજ મુખ્યમંત્રી અને ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદ યોજાઇ હતી. આ પરિષદમાં આદરણીય પ્રધાનમંત્રીએ મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂક્યો હતો:

 

  1. ન્યાય પ્રણાલીમાં થતો વિલંબ ઓછો કરવો.
  2. ન્યાયતંત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
  3. કાયદા યુનિવર્સિટીમાં બ્લોકચેઇન, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રોનિક ડિસ્કવરી, સાઇબર-સિક્યોરિટી અને બાયો-એથિક્સ જેવા ટેક્નોલોજી સાધનોનો ઉપયોગ કરવો.
  4. કાયદાઓનું સરળીકરણ કરવું.
  5. સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરવો.
  6. અપ્રચલિત અને પુરાતન કાયદાઓ રદ કરવા.
  7. જેઓ નાના ગુનાઓ કાર્યવાહી હેઠળ હોવાથી જેલમાં છે તેમની મુક્તિ.
  8. વિવાદોના નિરાકરણ માટે મધ્યસ્થી.

 

  1. નોટરી ઓનલાઇન એપ્લિકેશન પોર્ટલ (NOAP)

27.05.2022 ના રોજ, કાનૂની બાબતોના વિભાગે નોટરી ઓનલાઇન એપ્લિકેશન પોર્ટલ (NOAP) નામનું એક વિશિષ્ટ વેબ પોર્ટલ શરૂ કર્યું છે. પાત્રતા ધરાવતી વ્યક્તિ વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ એવા આ પ્લેટફોર્મ દ્વારા નોટરી પબ્લિક તરીકે નિમણૂક માટે ઓનલાઇન અરજી દાખલ કરી શકે છે.

https://legalaffairs.gov.in/sites/default/files/DSC_6317.JPG

નોટરી સેલે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે ઇન્ટરવ્યુ લીધા હતા. નોટરી તરીકે નિમણૂક માટે સફળ જાહેર થયેલા ઉમેદવારોની કુલ સંખ્યામાં કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરી અને હિમાચલ પ્રદેશ અને ગુજરાત રાજ્યોમાં ઓનલાઇન ઇન્ટરવ્યુના આધારે અનુક્રમે 128, 367 અને 564 છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XL7X.jpg

  1. નોટરી નિયમોમાં સુધારા, 1956

9મી જૂન, 2022ના રોજના બહાર પાડવામાં આવેલા GSR નં. 438(E) દ્વારા વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રીય જાહેર નોટરી માટેની ખાલી જગ્યાઓ વધારવામાં આવી છે. 22મી જુલાઇ, 2022 ના રોજના GSR નં. 597(E) દ્વારા, નોટરી નિયમો, 1956 ના નિયમ 8B માં વધુ સુધારો કરવામાં આવ્યો છે, જે માન્યતા અવધિની સમાપ્તિ પછી એક વર્ષની અંદર પ્રાપ્ત થયેલા પ્રેક્ટિસના પ્રમાણપત્રને નવીકરણ કરવાની કેન્દ્ર સરકારને સત્તા આપે છે.

  1. આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)

વર્ષ 2022 દરમિયાન, ટ્રિબ્યુનલે કુલ 36368 અપીલોનો નિકાલ કર્યો હતો અને 39107 ચુકાદા માટે પડતર છે. ITAT ની વેબસાઇટ અપડેટ કરવામાં આવી છે અને તેને સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી છે. JudiSIS એપ, ITAT ઇ-ફાઇલિંગ પોર્ટલ, ઇ-લાઇબ્રેરી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા છે. દૈનિક ઓર્ડરના ઓનલાઇન પ્રકાશન અને સુનાવણીની સૂચનાઓના ઓનલાઇન સંચાર સાથે પેપરલેસ અદાલત ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. ITAT API ને પણ LIMBS પોર્ટલ સાથે જોડવામાં આવ્યું છે. ઉચ્ચ અદાલતની જેમ ટ્રિબ્યુનલ પરિસરમાં ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યા છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો (એકાઉન્ટન્ટ/ન્યાયિક)ની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટેની કવાયત ચાલી રહી છે.

  1. માનનીય કેન્દ્રીય મંત્રી કાયદો અને ન્યાય શ્રી કિરણ રિજિજૂનું જાહેર સંબોધન

 

1. 02.12.2022ના રોજ તમિલનાડુ ડૉ. આંબેડકર લૉ યુનિવર્સિટી દ્વારા 12મો વાર્ષિક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું - 02.12.2022ના રોજ તમિલનાડુ ડૉ. આંબેડકર લૉ યુનિવર્સિટી દ્વારા આયોજિત 12માં વાર્ષિક પદવીદાન સમારોહના પ્રસંગે સંબોધન કરવામાં આવ્યું હતું. બદલાતા સમયના પ્રવાહ સામે હજુ સુધી ટકી રહેલા બંધારણના સિદ્ધાંતો પાછળ રહેલા કારણો અંગે તેમણે ડૉ.આંબેડકરની દૂરંદેશી દ્રષ્ટી રેખાંકિત કરી હતી. વધુમાં તેમણે વ્યર્થ બની ગયેલા કાયદાઓની સમીક્ષા, ન્યાયની સરળતા માટે કાયદાકીય વ્યવસ્થામાં સ્થાનિક ભાષાઓનો સમાવેશ, લવાદ અને મધ્યસ્થી અંગે નવા કાયદાઓ અને વાણિજ્યક અદાલતોની કાર્યક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વિવિધ પહેલો અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034OVF.jpg

  1. 25.11.2022ના રોજ આયોજિત બંધારણ દિવસની ઉજવણી - 25.11.2022ના રોજ આયોજિત કરવામાં આવેલા બંધારણ દિવસની ઉજવણીના પ્રસંગે માનનીય કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીએ સંબોધન આપ્યું હતું. તેમણે બંધારણીય સિદ્ધાંતોને પુનઃસંચારિત કરવા અને મજબૂત બનાવવા પોતાના કર્તવ્યો પરિપૂર્ણ કરવા માટે સરકારની કટિબદ્ધતા ઉપર ભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રેખાંકિત કર્યુ હતું કે કેવી રીતે સરકાર વ્યર્થ બની ગયેલા કાયદાઓની સમીક્ષા કરી રહી છે. તેમણે સરળ અને સ્પષ્ટ ભાષામાં કાયદાઓ ઘડવાની જરૂરિયાત, લવાદી ક્ષેત્રને મજબૂત બનાવવા સુધારાઓ કરવા, વાણિજ્યક વિવાદોના નિર્ણય વગેરે જેવી બાબતો હાથ ધરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

 

 

સંબંધિત સમાચારઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1879181

 

  1. ભારત - બ્રિટન વાણિજ્યક વિવાદો" અંગે પરિષદનું 5મી જુલાઇ, 2022ના રોજ બ્રિટનના લંડન ખાતે આયોજન - ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમર્થિત ભારતીય લવાદ પરિષદના આમંત્રણ પર માનનીય કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીએ 5મી જુલાઇ, 2022ના રોજ બ્રિટનના લંડન ખાતે યોજાયેલા 'ભારત - બ્રિટન વાણિજ્યક વિવાદો' અંગે પરિષદ ખાતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે નોંધ્યું હતું કે મજબૂત વિવાદ નિવારણ વ્યવસ્થા તંત્રની સાથે જ્યારે રાષ્ટ્રની નીતિ હિતધારકો માટે એક સકારાત્મક વ્યવસાય વાતાવરણ પૂરું પાડે ત્યારે જ વેપાર, ઉદ્યોગ, વાણિજ્ય અને રોકાણોને ઉત્તેજન મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સરકાર ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગની સાથે સાથે લવાદી ક્ષેત્રને પ્રોત્સાહન પૂરું પાડવા કાયદામાં સુધારવા સહિત તમામ પાસાંઓ ઉપર કામગીરી કરી રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે કરાર અમલીકરણ અને વાણિજ્યક વિવાદ નિવારણ ક્ષેત્રને પુનઃસંચારિત અને મજબૂત બનાવવા, નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્રની સ્થાપના, મધ્યસ્થતા ખરડો, 2021 રજૂ કરવો, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગની સરળતાની સુવિધા માટે વ્યર્થ કાયદાઓ દૂર કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

 

  1. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો / બેઠકોમાં કાનૂની બાબતોના વિભાગની ભાગીદારી

 

  1. 23મી સપ્ટેમ્બર, 2022ના રોજ 20મી SCO પ્રોસિક્યુટર જનરલની બેઠકનું વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા અને કાનૂની બાબતોના વિભાગના અધિક સચિવ ડૉ. અન્જુ રાઠી રાણાના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. તેમાં વિવિધ રાષ્ટ્રોમાંથી ચોરાયેલી અસ્કાયમતો પરત કરવા માટે તમામ સભ્ય રાષ્ટ્રો વચ્ચે સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00410L2.jpg

  1. જૂન 2022માં મોંગોલિયામાં મઠમાં ગંદાન્ટેગચે ખાતે ભગવાન બુદ્ધના અવશેષોના ઉત્ખનન અંગે વિચારણા.
  2. જુલાઇ, 2022માં 'ભારત-બ્રિટન વાણિજ્ય વિવાદ લવાદઅંગે બ્રિટન સાથે બેઠકો.
  3. 18મી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે ભારત-બ્રિટન સંયુક્ત પરામર્શ સમિતિ અને કાયદાકીય સેવા સમિતિની ત્રીજી વ્યક્તિગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બ્રિટન સરકારના ન્યાય મંત્રાલયના દ્રીતીય સ્થાયી સચિવ ડૉ. જો ફરારની આગેવાનીમાં બ્રિટનના પ્રતિનિધિમંડળ સાથે વિચાર-વિમર્શ કરાયો હતો. નવી દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં તેમની સાથે ન્યાય મંત્રાલય અને બ્રિટિશ ઊચ્ચ દૂતાવાસના વરિષ્ટ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
  4. નવેમ્બર, 2022માં યોજાયેલા ભારતીય વૈશ્વિક સમયાંતર સમીક્ષાની ચોથી આવૃતિ અંગે સ્વિત્ઝરલેન્ડ સાથે વિચાર-વિમર્શ.
  5. દક્ષિણ કોરિયાના સિઓલ ખાતે 3-4 નવેમ્બર, 2022 દરમિયાન ભારત અને કોરિયા વચ્ચે હસ્તાક્ષર થયેલા FTA/CECA અંગે સમીક્ષા.
  6. ભારતીય સંઘ અને સહાયક કાઉન્સેલની GPIX V બાબત પર લંડન ખાતે 14-25 દરમિયાન લંડનમાં પુરાવાલક્ષી સુનાવણી.
  7. 5-8 ડિસેમ્બર, 2022 દરમિયાન વાણિજ્ય ભવન ખાતે ભારત-EU FTA પરામર્શ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0053Q2P.jpg

  1. 28-30 નવેમ્બર, 2022 દરમિયાન ભારત-કેનેડા FTA વાટાઘાટો (વર્ચ્યુઅલ)
  2. ભારત - રશિયા BIT વાટાઘાટો.
  3. ભારત - ઓસ્ટ્રેલિયા FRA વાટાઘાટો.
  4. ભારત - બ્રિટન FTA વાટાઘાટો.
  5. ભારત - UAE BIT વાટાઘાટો.
  6. ભારત - ઇન્ડોનેશિયા BIT વાટાઘાટો.
  7. ભારત - ફિલિપાઇન્સ BIT વાટાઘાટો.

16. 9મી ડિસેમ્બર, 2022ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે SCO સભ્ય રાષ્ટ્રોની કાયદા મંત્રીઓની 9મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરણ રિજિજૂની આગેવાનીમાં બનેલા પ્રતિનિધિમંડળે તેમાં ભાગ લીધો હતો. આ પ્રતિનિધિમંડળમાં માનનીય રાજ્યમંત્રી એસ.પી.બાઘેલ, કાયદા સચિવ ડૉ. નિતેન ચંદ્રા, અધિક સચિવ શ્રી રાજવીરસિંઘ વર્મ, વરિષ્ઠ સરકારી વકીલ શ્રી મહેન્દ્ર ખંડેલવાલફોરેન્સિક વિજ્ઞાન સેવાના ડિરેક્ટોરેટના ડિરેક્ટર અને મુખ્ય ફોરેન્સિક વિજ્ઞાની ડૉ.એસ.કે.જૈન, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસ ડિરેક્ટર પ્રો.(ડૉ.) એસ.ઓ.જુનારેએ પણ ભાગ લીધો હતો.

 

  1. કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદ

મજબૂત અને નાગરિકોને અનુકૂળ હોય તેવી ન્યાય વિતરણ વ્યવસ્થા વિકસાવવાની જરૂરિયાત સાકાર કરવા અને 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે વર્ષ 2047ના ભારતની પરિકલ્પના કરવા, ગુજરાતના એકતાનગર ખાતે આવેલા ટેન્ટ સિટી ખાટે 15મી અને 16મી ઓક્ટોબર, 2022ના રોજ કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય પરિષદનું આયોજન ભારતીય કાયદા પ્રણાલી સંબંધિત સંખ્યાબંધ મુદ્દાઓ અંગે વિચારણા કરવા માટે દેશના નીતિ ઘડનારાઓને સામાન્ય મંચ પૂરો પાડવાના હેતુ સાથે કરવામાં આવ્યું હતું. આ આયોજન નવા ભારતના નિર્માણ માટે અને આપણી લોકશાહીના દરેક અંગમાં સંકલન અને સહકારની ભાવના વધારે દ્રઢ કરવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'સબકા પ્રયાસ'ની પરિકલ્પના ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

https://legalaffairs.gov.in/sites/default/files/styles/home_silder_image/public/Banner-1.jpg?itok=b9KzOQkN

કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશોએ આપણી ન્યાય વ્યવસ્થાને વધારે ઉપલબ્ધ, પરવડે તેવી અને નાગરિકોને અનુકૂળ બનાવવા અંગે ગહન ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. ભારતીય ન્યાય વ્યવસ્થાને સંબંધિત વિવિધ વિષયોની અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, અને તેમાં શ્રેષ્ઠ પ્રણાલીઓના આદાન-પ્રદાન માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અવસર આપવામાં આવ્યો હતો જે ખાસ કરીને સમાજના નબળા વર્ગો સહિત તમામ નાગરિકોના હિતમાં દેશની સમગ્રલક્ષી કાયદા વ્યવસ્થામાં સુધારો કરવા સેવા આપી શકે, જેથી સમાવેશી અને વાઇબ્રન્ટ નવા ભારતનું સર્જન કરવા નાગરિકોને સક્ષમ બનાવી શકાય.

 

 

  1. સત્તાવાર કામમાં હિંદીનો પ્રગતિશીલ ઉપયોગ

સત્તાવાર ભાષાના ઉપયોગ વધારવાની બાબત નજર સમક્ષ રાખીને અને સત્તાવાર ભાષા નીતિ અને સત્તાવાર કામમાં હિંદીના ઉપયોગ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ સંબંધિત કર્મચારીઓની અંદર જાગૃતતા વધારવા માટે 14.09.2022 થી 29.09.2022 વચ્ચે વિભાગમાં હિંદી પખવાડાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 14.09.2022નારોજ વિભાગમાં હિંદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજન વિવિધ યોજનાઓને વ્યાપક પ્રસિદ્ધી આપવા અને હિંદીમાં કરવામાં આવેલા કામના સંદર્ભમાં મહત્તમ પરિણામ મેળવવા હેતુ સાથે કરવામાં આવ્યું હતું.

 

આ વર્ષે વિભાગના અધિકારીઓ માટે હિંદી પખવાડા દરમિયાન હિંદી નિબંધ લેખન, હિંદી, ટાઇપિંગ, અનુવાદ, હિંદી નોંધ અને મુસદ્દા લેખન તથા હિંદી ડિક્ટેશન જેવી 5 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સફળ ભાગીદારી માટે રોકડ પુરસ્કારની સાથે યોગ્યતા પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. બેંગાલુરુ, ચેન્નાઇ, કોલકાતા અને મુંબઇ ખાતે વિભાગના શાખા સચિવાલયો તથા આવકવેરા અપીલ ન્યાયપંચની કચેરીઓ ખાતે પણ 'હિંદી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0072N6R.jpg

  1. ભારતીય કાયદા પંચ

7 નવેમ્બર, 2022ના રોજ સરકાર દ્વારા 22મા કાયદા પંચના અધ્યક્ષ અને પૂર્ણકાલીન અને અંશકાલીન સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. કર્ણાટક વડી અદાલતના નિવૃત મુખ્ય ન્યાયધીશ માનનીય શ્રી જસ્ટિસ રિતુ રાજ અવસ્થીની કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. કેરાલા વડી અદાલતના નિવૃત ન્યાયધીશ માનનીય જસ્ટિસ કે.ટી.શંકરન, (પ્રો.) ડૉ. આનંદ પાલિવાલ અને (પ્રો.) ડૉ.ડી.પી.વર્મા પંચના પૂર્ણકાલીન સભ્યો છે.જ્યારે એડ્વોકેટ શ્રી એમ.કરુણાનિધી અને (પ્રો.) ડૉ.રાકા આર્ય તેના અંશકાલીન સભ્યો છે. પંચમાં હોદ્દાની રૂએ બે સભ્યો તરીકે કાયદા સચિવ અને વૈધાનિક સચિવનો પણ સમાવેશ થાય છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008OM29.jpg

 

 

  1. કાનૂની માહિતી પ્રબંધન અને માહિતી વ્યવસ્થા (LIMBS)

LIMBS આવૃતિ 2LIMBSની અદ્યતન આવૃતિ છે અને NIC સાથે સહકારમાં વર્ષ 2020માં તેની શરૂઆત કરવામાં આવી હતી. તે વપરાશકર્તા મંત્રાલયો / વિભાગો માટે ડેશબોર્ડ આધારિત વ્યવસ્થા છે જેની ઉપર તેમના કેસોનું વિવરણ જોઇ શકે છે. મંત્રાલયો / વિભાગોના એકિકૃત પ્રયત્નો સાથે, 14345 નોંધાયેલા વપરાશકર્તાઓ મારફતે તેની ઉપર 9.24 લાખ કોર્ટ કેસો (નિકાલ કરેલા કેસો સહિત)ની માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા ભારતીય સંઘ સાથે સંબંધિત દાવાઓના એકલ-એકિકૃત ડેટાબેઝનું સર્જન કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશને 3281 અદાલતો અને 22930 એડ્વોકેટની વિગતો એકત્રિત કરી છે.

તાજેતરમાં, EAC-PM (પ્રધાનમંત્રીની નાણાકીય સલાહકાર સમિતિ)એ પણ UOI દાવાઓ અંગે શ્વેતપત્ર તૈયાર કરવાની સુવિધા માટે LIMBS પોર્ટલની ઉપલબ્ધતા પૂરી પાડી છે.

વર્ષ દરમિયાન, 162 તાલીમ/ બેઠક સત્રો (ઑનલાઇન / ઑફલાઇન)નું આયોજન કરવામાં આવ્યું હતું જે વિવિધ મંત્રાલયો / વિભાગોના અધિકારીઓ / કર્મચારીઓને આવરી લે છે. ચાલુ વર્ષ દરમિયાન LIMBS પોર્ટલને વીજળી માટે અપીલ ન્યાયપંચ (APTEL), જકાત શુલ્ક અને સેવા કરવેરા અપીલ ન્યાયપંચ (CESTAT), આવકવેરા અપીલ ન્યાયપંચ (ITAT), રાષ્ટ્રીય કંપની કાયદા ન્યાયપંચ (NCLT), રાષ્ટ્રીય કંપની કાયદા અપીલ ન્યાયપંચ (NCLAT) સાથે એકિકૃત કરવામાં આવ્યું હતું.

નવી સુવિધાઓ જેવી કે એડ્વોકેટ માટે દાવામાં હાજર રહેવાના બિલ માટે ફોર્મ (FAB), સંદેશ સુવિધાઓ (વપરાશકર્તા નોંધણી, સુનાવણીની આગામી તારીખ, એડ્વોકેટ બિલ તૈયાર કરવું, ફોર્ગેટ પાસવર્ડ), LIMBS પ્રતિભાવ ફોર્મ, LIMBS મદદ ફાઇલો, LIMBS વીડિયો મદદ ફાઇલ, LIMBS અવાર-નવાર પૂછાતાં પ્રશ્નો, SLP મોડ્યુલ માટે ઇ-ઑફિસ સંકલન, તાલીમ અને સહાયતા લિંક, વિવિધ મંત્રાલય અહેવાલ, દિલ્હી વડી અદાલત યાચિકા મોડ્યુલ, અપલોડ એફિડેવિટ મોડ્યુલ, એડ્વોકેટ મોડ્યુલમાં નવા ફિચર્સ (કેસ હસ્તાંતર, બિલ વિગતો, MIS અહેવાલો) પણ ચાલુ વર્ષે LIMBS પોર્ટલમાં ઉમેરવામાં આવ્યું છે.

2જી ઓગસ્ટ, 2022ના રોજ કાયદો અને ન્યાય મંત્રાલય માટે સંસદીય પરામર્શક સમિતિની પ્રથમ સત્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારના દાવાઓના અસરકારક પ્રબંધનમાં LIMBSના ફાયદાઓ અને ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે પરામર્શક સમિતિ સમક્ષ તેની રજૂઆત કરવામાં આવી હતી.

  • XVII. સોશિયલ મીડિયા પ્રવૃતિઓ
  1. અરૂણાચલ પ્રદેશના ડોંગ વેલી અને ઉત્તરાખંડના નૈનિતાલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21મી જૂન, 2022).
  2. કાનૂની બાબતોના વિભાગે આયુષ મંત્રાલયની દેખરેખ હેઠળ અરૂણાચલ પ્રદેશની ડોંગ વેલી અને ઉત્તરાખંડના નૈની તળાવ, નૈનિતાલ ખાતે પ્રખ્યાત સ્થાનો ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

https://legalaffairs.gov.in/sites/default/files/_KR68501.jpg

  1. ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ - NOAP (નોટરી ઑનલાઇન એપ્લિકેશન પોર્ટલ) અને કાનૂની માહિતી પ્રબંધન અને વિવરણ વ્યવસ્થા (4 જુલાઇ - 6 જુલાઇ, 2022); ગુજરાતના ગાંધીનગર ખાતે MeitY દ્વારા આયોજિત કરાયેલા ડિજિટલ ઇન્ડિયા સપ્તાહમાં કાનૂની બાબતોના વિભાગે ભાગ લીધો હતો, જેમાં નોટરી ઑનલાઇન એપ્લિકેશન પોર્ટલ (NOA) અને કાનૂની માહિતી પ્રબંધન અને વિવરણ વ્યવસ્થા (LIMBS) પ્રદર્શિત કરવામાં આવી હતી.;

https://legalaffairs.gov.in/sites/default/files/IMG_22999.jpg

 

  1. કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ (15મી જુલાઇ, 2022)

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સૂચનો/સલાહોના અનુસંધાનમાં 5મી ઓગસ્ટ, 2022ના રોજ કાનૂની બાબતોના વિભાગમાં રસીકરણ શિબિર હાથ ધરવામાં આવી હતી અને તેમાં 224 કર્મચારીઓએ પ્રથમ ડોઝ / બીજો ડોઝ / પ્રિકોસનરી ડોઝ લીધો હતો.

Image

  1. હર ઘર તિરંગા (13મી ઓગસ્ટ થી 15 ઓગસ્ટ, 2022)

ભારત સરકારના કાયદો અને ન્યાય મંત્રાલયના કાનૂની બાબતોના વિભાગે "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરવાના તેના વ્યાપક પ્રયત્નોના ભાગરૂપે નાગરિકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉત્તેજન આપવાના હેતુ સાથે "હર ઘર તિરંગા" અભિયાનનો પણ પ્રારંભ કર્યો હતો. આપણા રાષ્ટ્રધ્વજ અંગે જાગૃતતા ફેલાવવા નિબંધ, ચર્ચા અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ એમ ત્રણ શ્રેણીઓમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી કાનૂની કોલેજ/ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા કાયદાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્રણેય શ્રેણીઓના તમામ વિજેતાઓને ચંદ્રકો, રોકડ પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

Image

  1. રાષ્ટ્રીય રમત દિવસ (29 ઓગસ્ટ, 2022)

Image

કર્મચારી અને તાલીમ વિભાગના નિર્દેશોના અનુસંધાનમાં કાનૂની બાબતોના વિભાગે 29મી ઓગસ્ટ 2022ના રોજ હોકીની રમતના મહાન કેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ ઉજવવા માટે ક્રિકેટ મેચ અને બેડમિન્ટન એમ બે રમત કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું.

  1. આંતર મંત્રાલય, બાર અને બેંચ બેડમિન્ટન સ્પર્ધા (17 સપ્ટેમ્બર, 2022)

ભારતીય બાર કાઉન્સિલના સહકારમાં 17 અને 18 સપ્ટેમ્બર, 2022ના રોજ નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે બે દિવસીય બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

  1. નવી દિલ્હી ડૉ.આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે હિંદી પખવાડા ઉજવણી (29મી સપ્ટેમ્બર, 2022)

નવી દિલ્હીના ડૉ.આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે 29મી ડિસેમ્બર, 2022ના રોજ કાનૂની બાબતોના વિભાગે હિંદી પખવાડાની ઉજવણી કરી હતી. 1લી સપ્ટેમ્બર, 2022થી 15મી સપ્ટેમ્બર, 2022 સુધી વિભાગની સત્તાવાર પ્રભાગો દ્વારા વિવિધ શ્રેણીઓમાં જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

  1. ઓક્ટોબર, 2022માં કાનૂની બાબતોના વિભાગમાં વિશેષ અભિયાન 2.0 (2જી ઓક્ટોબર, 2022) હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેકોર્ડ પ્રબંધન, સમીક્ષા અને ફાઇલોના ડિજિટલાઇઝેશન અંગે વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પ્રબંધનની દિશામાં મોટી સંખ્યામાં ફાઇલોનો ભરાવો ખાલી કરવામાં આવ્યો હોવાથી વિશેષ ઝૂંબેશ બાદ નોંધપાત્ર પરિવર્તન જોઇ શકાયું હતું.

Image

  1. આર્યુવેદ @ 2047 અંતર્ગત આર્યુવેદ દિવસ - આઝાદીનો અમૃત સમય (17 ઓક્ટોબર, 2022)

આયુષ મંત્રાલયના નિર્દેશોના અનુસંધાનમાં 10થી 17મી નવેમ્બર, 2022 દરમિયાન આર્યુવેદ દિવસ હાથ ધરવામાં આવ્યો હતો. કાનૂની બાબતોના વિભાગને આર્યુવેદ @2047 કાર્યક્રમ અંતર્ગત "અનુભવોની વહેંચણી"ની થિમ સોંપવામાં આવી હતી. કાનૂની બાબતોના વિભાગના વિવિધ અધિકારોએ આર્યુવેદ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને વિભાગના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેમના વીડિયો શેર કરવામાં આવ્યાં હતાં.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image015AQP5.jpg

  1. વિજિલન્સ જાગૃતતા સપ્તાહ

કેન્દ્રીય વિજિલન્સ કમિશનના નિર્દેશોને અનુરૂપ કાનૂની બાબતોના વિભાગે 31મી ઓક્ટોબરથી 6ઠ્ઠી નવેમ્બર દરમિયાન 2022ના "વિજિલન્સ જાગૃતતા સપ્તાહ"ની ઉજવણી કરી હતી. આ દરમિયાન વિભાગે હિંદીમાં નિબંધ સ્પર્ધા અને વિભાગના અધિકારીઓ માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધા હાથ ધરવામાં આવી હતી અને વિજેતાઓને રોકડ પુરસ્કારો અને પ્રમાણપત્ર સોંપવામાં આવ્યાં હતાં.

  1. બંધારણ દિનની ઉજવણી (26મી નવેમ્બર, 2022)

આ વર્ષે 26મી નવેમ્બર, 2022ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવા માટે કાનૂની બાબતોના વિભાગે નીચે મુજબ પ્રવૃતિઓ હાથ ધરી હતીઃ

 

    1. વિભાગના તમામ કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન.
    2. ભારતીય કાનૂની સંસ્થા (ILI) સાથે સહકારમાં 25.11.2022ના રોજ બંધારણીય મૂલ્યો અને ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અંગે વેબિનાર.
    3. 14થી 19 નવેમ્બર, 2022 દરમિયાન ભારતીય કાનૂની સંસ્થા દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
    4. સિગ્નેચર બોર્ડ અને 8મી નવેમ્બર, 2022થી શાસ્ત્રી ભવનમાં ડિસ્પ્લે બોર્ડ મારફતે બંધારણની અન્ય હકીકતો.
    5. 10થી 26મી નવેમ્બર, 2022 સુધી MyGov સાથે સહકારમાં ભારતના બંધારણ અંગે વર્ચ્યુઅલ ક્વિઝનું આયોજન.
    6. 10થી 26મી નવેમ્બર, 2022 સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ભારતના બંધારણના અનુચ્છેદો યાદ રાખવા માટે વિવિધ યુક્તિઓ પોસ્ટ કરવામાં આવી હતી.
    7. વિભાગની વિનંતી ઉપર 10 રાષ્ટ્રીય કાનૂન યુનિવર્સિટી/ કોલેજ દ્વારા ડેટાબેઝ/ ક્વિઝ/ ટૉક શો/ સ્પર્ધા વગેરે જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તે કાર્યક્રમના ધોરણોના પરિણામો, ભાગીદારીના આધારે આ વિભાગ દ્વારા ભાગ લઇ રહેલી કાયદા યુનિવર્સિટીને પ્રશંસા પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યાં હતાં.

 

Image

 

  1. મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ (25 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2022)

ભારત ઉર્જાવાન રાષ્ટ્ર બનાવવા માટે દેશની મહિલાઓના સશક્તિકરણ માટે કે જ્યાં લિંગ આધારિત ભેદભાવને કોઇ સ્થાન ન હોય, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની બાબતોના વિભાગે માનનીય કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરણ રિજિજૂ અને માનનીય રાજ્યમંત્રી પ્રો.એસ.પી.સિંગ બાગેલની દેખરેખમાં શાસ્ત્રી ભવના ખાતે અધિકારીઓ અને કર્મચારીઓને સંવેદનશીલ બનાવવા સંવેદનશીલતા અને જાગૃતતા શિબિર અને નુક્કડ નાટકનું આયોજન કર્યુ હતું. નવી દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે 6 ડિસેમ્બર, 2022ના રોજ કાર્યસ્થળે મહિલાઓના જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિરાકરણ) અધિનિયમ, 2013 અંગે જાગૃતતા અને સંવેદનશીલતા શિબિરનું આયોજન કર્યુ હતું. ઉપસ્થિત રહેલા લોકો સમક્ષ સ્વાગત પ્રવચન આપીને અધિક સચિવ ડૉ.અંજુ રાથી રાણાએ શિબિરનો પ્રારંભ કર્યો હતો. એડ્વોકેટ (સુપ્રીમ કોર્ટ) શ્રી શશાંક શેખરનું સ્વાગત કરતાં કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહેલા કાયદા સચિવ નિતેન ચંદ્રાએ પોતાનુ પ્રવચન આપ્યું હતું અને વાર્તાલાપ શિબિર શરૂ કરી હતી. જાગૃતતા સર્જવા માટે અને સમાજમાં મહિલાઓ પ્રત્યે સન્માન અને આદરની ભાવના પ્રેરિત કરવા માટે શાસ્ત્રી ભવન ખાતે 7 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લૉ સેન્ટર કલ્ચર સોસાયટીના વિદ્યાર્થીઓ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિરાકરણ) અધિનિયમ, 2013 અંગે નુક્કડ નાટક પણ બજવવામાં આવ્યું હતું.

 

  1. ભારતીય કાનૂની સંસ્થા

ભારતીય કાનૂની સંસ્થા (ILI) દ્વારા લેક્ચર/ કોન્ફરન્સ/ વાર્તાલાપ/ સેમિનારની વેબ સિરિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, ILI દ્વારા બે પુસ્તકો અને અન્ય સામગ્રીઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

 

 



(Release ID: 1886770) Visitor Counter : 1001