રાષ્ટ્રપતિ સચિવાલય

ગુરુ તેગ બહાદુર જીના 'શહીદ દિવસ'ની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિનો સંદેશ

Posted On: 23 NOV 2022 4:41PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ ગુરુ તેગ બહાદુર જીના શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ તેમના સંદેશમાં કહ્યું :-

હું ગુરુ તેગ બહાદુર જીને તેમના શહીદ દિવસ નિમિત્તે મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

ગુરુ તેગ બહાદુરજીએ ધર્મ ખાતર પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમના વિશે સાચું જ કહેવાયું છે કે સર દિયા પર સાર ના દિયા. તેમનું બલિદાન આવનારા તમામ સમય માટે યાદ રહેશે.

તેમને 'હિંદ કી ચાદર' કહેવામાં આવે છે કારણ કે તેમની શહાદતને માનવતા માટેના બલિદાન તરીકે જોવામાં આવે છે.

આવો આપણે બધા ગુરુ તેગ બહાદુર જીની એકતા અને ભાઈચારાના ઉપદેશોને આપણા જીવનમાં અપનાવવાની પ્રતિજ્ઞા લઈએ."

રાષ્ટ્રપતિનો સંદેશ હિન્દીમાં જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો

 

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1878273) Visitor Counter : 227