ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 30 JUN 2022 4:19PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશનું સંપૂર્ણ લખાણ નીચે મુજબ છે -

"રથયાત્રાના શુભ અવસર પર હું મારા દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું

ઓડિશાની રથયાત્રા, જે ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન જગન્નાથની વાર્ષિક યાત્રાને ચિહ્નિત કરે છે, તે ભગવાનની દિવ્યતા અને ભવ્યતાની ઉજવણી કરવા માટે તમામ સમુદાયો માટે એકસાથે આવવાનો પ્રસંગ છે. રથયાત્રામાં ભાગ લેનાર ભક્તો ભગવાન જગન્નાથના રથને ખેંચવાને પોતાના આશીર્વાદ માને છે. રથયાત્રાની મહિમા અને ભવ્યતા ખરેખર અજોડ છે.

હું ઈચ્છું છું કે રથયાત્રા સાથે જોડાયેલા પવિત્ર અને ઉચ્ચ આદર્શો આપણા જીવનને શાંતિ અને સંવાદિતાથી ભરી દે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1838239) आगंतुक पटल : 296
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Odia