ગૃહ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 'અગ્નિપથ યોજના'ની જાહેરાતના સંદર્ભમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજનામાં 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી 'અગ્નિપથ યોજના' દ્વારા પ્રશિક્ષિત યુવાનો આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન આપી શકશે, આ નિર્ણય પર તેની વિસ્તૃત યોજના બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Posted On:
15 JUN 2022 2:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 'અગ્નિપથ યોજના'ની જાહેરાતના સંદર્ભમાં, આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
ગૃહમંત્રીના કાર્યાલયે ટ્વીટ દ્વારા કહ્યું કે "'અગ્નિપથ યોજના' એ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી નરેન્દ્ર મોદીજીનો એક સ્વપ્નદ્રષ્ટા અને આવકારદાયક નિર્ણય છે. આ સંદર્ભમાં, આજે ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
ગૃહ મંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી, 'અગ્નિપથ યોજના' દ્વારા પ્રશિક્ષિત યુવાનો આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન આપી શકશે. આ નિર્ણય અંગે વિગતવાર આયોજનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1834206)
Visitor Counter : 291