માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રીએ 'સ્વરાજ'થી 'નવા ભારત' સુધીના ભારતના વિચારોની પુનઃવિચારણા પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 19 MAY 2022 5:26PM by PIB Ahmedabad

દિલ્હી યુનિવર્સિટી દ્વારા આયોજિત 'સ્વરાજ'થી 'નવા ભારત' સુધીના ભારતના વિચારોની પુનઃવિચારણા પરના 3-દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોલતા શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દિલ્હી યુનિવર્સિટી તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે તે ખૂબ જ સંતોષની વાત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ન્યુ ઈન્ડિયાનું નિર્માણ થઈ રહ્યું છે અને આપણા દેશને વૈશ્વિક મહાસત્તા બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે ટેક્નોલોજી કેવી રીતે આપણા વિશ્વને ઝડપથી બદલી રહી છે તે વિશે પણ વાત કરી અને ઉમેર્યું કે 21મી સદીના પડકારો માટે ભારતને તૈયાર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી રહી છે. તેમણે સૂચવ્યું કે દિલ્હી યુનિવર્સિટીએ બ્લોકચેન, ઈ-કોમર્સ, પેટન્ટ મેનેજમેન્ટ વગેરે જેવા ઉભરતા અને મહત્વપૂર્ણ ક્ષેત્રો પર અભ્યાસક્રમો વિકસાવવા માટે કામ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી યુનિવર્સિટી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના પડકારોને ઉકેલવાની ક્ષમતા ધરાવે છે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1826703) Visitor Counter : 141