લઘુમતિ બાબતોનું મંત્રાલય

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી શ્રી સ્વતંત્ર દેવ સિંહે આજે પટવાઈ, રામપુર (યુપી) ખાતે દેશના પ્રથમ "અમૃત સરોવર"નું ઉદ્ઘાટન કર્યું


"અમૃત સરોવર" માત્ર પર્યાવરણને જાળવવામાં અને પાણીના સંરક્ષણમાં મદદ કરશે એટલું જ નહીં, તે નજીકના વિસ્તારોના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશેઃ શ્રી નકવી

Posted On: 13 MAY 2022 3:54PM by PIB Ahmedabad

દેશના પ્રથમ "અમૃત સરોવર"નું આજે પટવાઈ, રામપુર (યુપી) ખાતે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી શ્રી સ્વતંત્ર દેવ સિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોલતા શ્રી નકવીએ કહ્યું કે આ ભવ્ય "અમૃત સરોવર"નું નિર્માણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ભવ્ય "અમૃત સરોવર"ને ખૂબ જ ઓછા સમયમાં શરૂ કરવામાં સામાન્ય લોકો, ગ્રામજનોની ભાગીદારી અને સહકાર અને ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટીતંત્રની તત્પરતાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

તેમણે કહ્યું કે ગયા મહિને "મન કી બાત" કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામપુરના પટવાઈમાં આ "અમૃત સરોવર" વિશે ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ "મન કી બાત"માં કહ્યું હતું કે, "મને એ જાણવું ગમે છે કે અમૃત સરોવરનો સંકલ્પ લીધા પછી, તેના પર ઘણી જગ્યાએ ઝડપી ગતિએ કામ શરૂ થયું છે. મને યુપીના રામપુરની ગ્રામ પંચાયત પટવાઈ વિશે જાણવા મળ્યું છે. ગ્રામસભાની જમીન પર તળાવ હતું, પરંતુ તે ગંદકીથી ભરેલું હતું અને કચરાના ઢગલા હતા. ઘણી મહેનતથી, સ્થાનિક લોકોના સહકારથી, સ્થાનિક શાળાના બાળકોની મદદથી, છેલ્લા કેટલાક અઠવાડિયામાં તે ગંદા તળાવની કાયાપલટ કરવામાં આવી છે. હવે તે તળાવના કિનારે રિટેનિંગ વોલ, બાઉન્ડ્રી વોલ, ફૂડ કોર્ટ, ફુવારા અને લાઇટિંગ જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું રામપુરની પટવાઈ ગ્રામ પંચાયતને, ગામના લોકોને, ત્યાંના બાળકોને આ પ્રયાસ માટે અભિનંદન આપું છું.

શ્રી નકવીએ જણાવ્યું હતું કે આ "અમૃત સરોવર" માત્ર પર્યાવરણની જાળવણી અને પાણીના સંરક્ષણમાં મદદ કરશે એટલું જ નહીં, તે નજીકના વિસ્તારોના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ "અમૃત સરોવર"માં ફૂડ કોર્ટ, ફુવારા અને લાઇટિંગ અને અન્ય મનોરંજન સુવિધાઓ ઉપરાંત બોટિંગ પણ ઉપલબ્ધ છે.

આ પ્રસંગે બોલતા શ્રી સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે પટવાઈ, રામપુરમાં આવેલ આ અમૃત સરોવર એક ઉદાહરણ છે કે સરકાર અને સમાજ વચ્ચેના સંકલન અને સહકારથી કેટલા મોટા ફેરફારો લાવી શકાય છે. તેમણે કહ્યું કે આ "અમૃત સરોવર" પર્યાવરણના રક્ષણમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે સાથે સાથે નજીકના વિસ્તારોના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. શ્રી સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે "આઝાદી કા અમૃત મહોત્સવ" હેઠળ ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં 75 "અમૃત સરોવર" બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી શ્રી બલદેવ સિંહ ઓલખ, રામપુર જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ખયાલીરામ લોધી, મિલક ધારાસભ્ય શ્રીમતી રાજબાલા, એમએલસી શ્રી જય પાલ સિંહ વ્યાસ, PACFED અધ્યક્ષ શ્રી સૂર્ય પ્રકાશ પાલ, ભાજપ રામપુર જિલ્લા અધ્યક્ષ શ્રી અભય ગુપ્તા, કમિશનર મુરાદાબાદ શ્રી અંજનેય કુમાર સિંઘ, જિલ્લા મેજિસ્ટ્રેટ રામપુર શ્રી રવિન્દ્ર કુમાર મંડેર, મુખ્ય વિકાસ અધિકારી શ્રીમતી ગઝલ ભારદ્વાજ અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1825103) Visitor Counter : 187