માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતી સંબંધિત મુદ્દાઓ પર સામૂહિક ધ્યાન આપવા માટે હિતધારકોને સંવેદનશીલ બનાવવા પર ભાર મૂક્યો

Posted On: 10 MAY 2022 1:11PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી, શ્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતી સંબંધિત મુદ્દાઓ પર સામૂહિક ધ્યાન આપવા માટે હિતધારકોને સંવેદનશીલ બનાવવા પર ભાર મૂક્યો છે. સોમવારે સેવ લાઇફ ફાઉન્ડેશન (SLF)ના સહયોગમાં NHAI/ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, તેમણે કહ્યું કે માર્ગ સલામતી એ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને માર્ગ અકસ્માતો પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે અમે માર્ગસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને 2024 સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Z00K.jpg

શ્રી ગડકરીએ વરિષ્ઠ અધિકારીઓને સેવ લાઇફ ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયેલી વિવિધ વ્યૂહરચના અને ઉકેલોને શક્ય તેટલી વહેલી તકે ધ્યાનમાં લેવા અને અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PQXP.jpg

શ્રી ગડકરીએ કહ્યું કે બ્લેક સ્પોટ પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે કાર્યવાહી કરતી વખતે ત્રણ બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે, તાત્કાલિક પગલાં, મધ્યમ ગાળાની કાર્યવાહી અને લાંબા ગાળાની કાર્યવાહી. તેમણે કહ્યું કે તમામ આરઓ (પ્રાદેશિક અધિકારીઓ) અને (પ્રોજેક્ટ ડિરેક્ટર્સ) એ શૂન્ય અકસ્માત માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1824185) Visitor Counter : 266