ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
Posted On:
02 MAY 2022 5:17PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશનું સંપૂર્ણ લખાણ નીચે મુજબ છે-
"ઈદ-ઉલ-ફિત્ર"ના શુભ અવસર પર, હું આપણા દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.
પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ નિમિત્તે ઉજવવામાં આવે છે, ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર એ ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિ, પરોપકાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉત્સવ છે.
મને આશા છે કે આ તહેવાર ઉદારતાની ભાવનાને મજબૂત કરશે અને લોકોને એકબીજાની નજીક લાવશે અને તેમને મિત્રતા, ભાઈચારો, પ્રેમ અને પરસ્પર આદરના દોરથી જોડશે.
હું ઈચ્છું છું કે ઈદ-ઉલ-ફિત્રના આ તહેવાર સાથે સંકળાયેલા પવિત્ર અને ઉમદા આદર્શો આપણા જીવનમાં શાંતિ, સૌહાર્દ અને આનંદ લાવે."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1822044)
Visitor Counter : 165