રેલવે મંત્રાલય

રેલ્વે દ્વારા ડોર-ટુ-ડોર ડિલિવરી

Posted On: 06 APR 2022 2:20PM by PIB Ahmedabad

ઈન્ડિયા પોસ્ટ અને ઈન્ડિયન રેલ્વેનું 'જોઈન્ટ પાર્સલ પ્રોડક્ટ' (JPP) વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં પોસ્ટ વિભાગ દ્વારા ફર્સ્ટ-માઈલ અને લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે, અને સ્ટેશનથી સ્ટેશન સુધીની વચગાળાની કનેક્ટિવિટી રેલવે દ્વારા કરવામાં આવશે. . JPPનો ઉદ્દેશ્ય સંપૂર્ણ પાર્સલ હેન્ડલિંગ સોલ્યુશન પ્રદાન કરીને બિઝનેસ-ટુ-બિઝનેસ અને બિઝનેસ-ટુ-ગ્રાહક માર્કેટને એટલે કે પ્રેષકના પરિસરમાંથી પિકઅપ, બુકિંગ અને પ્રાપ્તકર્તાને ડોર-સ્ટેપ ડિલિવરીने લક્ષ્ય બનાવવાનો છે.

ભારતીય રેલ્વે અને ઈન્ડિયા પોસ્ટ દ્વારા જેપીપી પાયલોટ પ્રોજેક્ટના આધારે શરૂ કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટની પ્રથમ સેવા 31મી માર્ચ, 2022ના રોજ સુરતથી વારાણસી સુધી શરૂ થઈ છે.

આ માહિતી રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1814077) Visitor Counter : 165