પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભાગલપુરમાં વિસ્ફોટમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું

Posted On: 04 MAR 2022 12:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાગલપુરમાં વિસ્ફોટમાં થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ ઘટના સંબંધિત પરિસ્થિતિ પર મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર સાથે વાત કરી છે અને કહ્યું છે કે વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે, અને પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બિહારના ભાગલપુરમાં વિસ્ફોટના કારણે જાનહાનિના સમાચાર ચિંતાજનક છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ઘટના સંબંધિત પરિસ્થિતિ પર મુખ્યમંત્રી @NitishKumar જી સાથે વાત કરી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. અને પીડિતોને શક્ય તમામ સહાય આપવામાં આવી રહી છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1802863) Visitor Counter : 199