પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં કારખાનામાં થયેલી દુ:ખદ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 22 FEB 2022 1:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ફેક્ટરી દુર્ઘટનામાં થયેલી દુ:ખદ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"હિમાચલ પ્રદેશના ઉનામાં એક ફેક્ટરીમાં થયેલ અકસ્માત દુઃખદ છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ સાથે, હું અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું: PM"

"PMNRF તરફથી હિમાચલ પ્રદેશમાં ફેક્ટરી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને દરેકને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM"

 


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1800255) Visitor Counter : 167