પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 16મી ફેબ્રુઆરીના રોજ TERIની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કરશે

Posted On: 15 FEB 2022 11:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં વિડિયો સંદેશ દ્વારા ઉદ્ઘાટન સંબોધન કરશે.

વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ એ TERI ની વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે. આ વર્ષની સમિટની થીમ ‘એક સ્થિતિસ્થાપક ગ્રહ તરફ: ટકાઉ અને સમાન ભાવિની ખાતરી કરવી’ છે. આ સમિટમાં જળવાયુ પરિવર્તન, ટકાઉ ઉત્પાદન, ઉર્જા સંક્રમણ, વૈશ્વિક કોમન્સ અને સંસાધન સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.

16મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસીય સમિટમાં ડોમિનિકન રિપબ્લિકના પ્રેસિડેન્ટ શ્રી લુઈસ એબિનેડર, કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી, સંયુક્ત રાષ્ટ્રના ડેપ્યુટી સેક્રેટરી જનરલ, સુશ્રી અમીના જે મોહમ્મદ, વિવિધ આંતરસરકારી સંસ્થાઓના પ્રમુખો, એક ડઝનથી વધુ દેશોના મંત્રીઓ/દૂત અને 120 થી વધુ દેશોના પ્રતિનિધિઓ, ઉપસ્થિત રહેશે.

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798441) Visitor Counter : 216