સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 149.66 કરોડને પાર
છેલ્લા ચોવીસ કલાકમાં 94 લાખ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 97.57%
છેલ્લા 24 કલાકમાં 1,17,100 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,71,363)
સાપ્તાહિક પોઝિટિવિટી દર (3.35%)
प्रविष्टि तिथि:
07 JAN 2022 10:13AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 94 લાખ ( 94,47,056) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 149.66 કરોડ (1,49,66,81,156)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,59,96,534 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:
|
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,88,661
|
|
બીજો ડોઝ
|
97,32,783
|
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,86,788
|
|
બીજો ડોઝ
|
1,69,41,142
|
|
15-18 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
1,68,20,563
|
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
50,95,49,935
|
|
બીજો ડોઝ
|
34,57,40,614
|
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
19,56,03,537
|
|
બીજો ડોઝ
|
15,43,51,161
|
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
12,19,97,939
|
|
બીજો ડોઝ
|
9,71,68,033
|
|
કુલ
|
1,49,66,81,156
|
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,43,71,845 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 30,836 દર્દીઓ સાજા થયા છે.
આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.57% થયો છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 1,17,100 નવા કેસ નોંધાયા છે.
સક્રિય કેસનું ભારણ હાલમાં 3,71,363 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 1.05% છે,
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,13,377 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 68.68 કરોડથી વધારે (68,68,19,128) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 4.54% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 7.74% નોંધાયો છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1788236)
आगंतुक पटल : 297