પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં લાગેલી આગને કારણે થયેલી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 27 OCT 2021 3:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આગની દુર્ઘટનાને કારણે અસરગ્રસ્ત પરિવારો માટે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"હિમાચલ પ્રદેશના કુલ્લુમાં લાગેલી આગ અત્યંત દુઃખદ છે. હું ઐતિહાસિક મલાણા ગામમાં આ દુર્ઘટનાના તમામ પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1766904) Visitor Counter : 181