PIB Headquarters
azadi ka amrit mahotsav g20-india-2023

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 16 OCT 2021 6:33PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 97.23 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,981 નવા કેસ નોંધાયા, છેલ્લા 8 દિવસથી 20,000 થી ઓછા કેસ
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.59% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું 2,01,632 થયું, 218 દિવસમાં સૌથી ઓછું
  • સાજા થવાનો દર હાલમાં 98.08% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 17,861 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,33,99,961 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 113 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.44% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.73% પહોંચ્યો, છેલ્લા 47 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 58.98 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા 

#Unite2FightCorona

#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 97.23 કરોડને પાર

સાજા થવાનો દર હાલમાં 98.08%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 15,981 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (2,01,632) કુલ કેસનાં 0.59% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.44%) 113 દિવસથી 3% કરતા ઓછો

 

છેલ્લા 24 કલાકમાં 8,36,118 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 97.23 કરોડ (97,23,77,045) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 96,05,482 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,75,703

બીજો ડોઝ

90,68,232

FLWs

પ્રથમ ડોઝ

1,83,61,275

બીજો ડોઝ

1,54,90,253

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

39,14,51,891

બીજો ડોઝ

10,85,40,506

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,73,04,569

બીજો ડોઝ

8,53,97,182

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,55,20,693

બીજો ડોઝ

6,08,66,741

કુલ

97,23,77,045

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,33,99,961 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 17,861 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.08% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002J91P.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 15,981 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 8 દિવસથી નવા કેસ 20,000 થી ઓછા નોંધાયા છે.

111 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030KPO.jpg

સક્રિય કેસનું ભારણ આજે 2,01,632 છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.59% થયા. જે 218 દિવસમાં સૌથી ઓછું છે

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PX7T.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,23,003 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 59 કરોડથી વધારે (58,98,35,258) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.44% છે જે છેલ્લા 113 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.73% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 47 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 130 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 101 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 11.12 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

 

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ

(16 ઓક્ટોબર, 2021 સુધી)

પુરવઠો

1,01,51,66,665

બાકી ઉપલબ્ધ

11,12,33,325

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 101 કરોડ (1,01,51,66,665) થી વધુ રસી પૂરી પાડી છે.

હાલમાં, કોવિડ-19 રસીના 11.12 કરોડ (11,12,33,325) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

 

 



(Release ID: 1764421) Visitor Counter : 179