સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 80.85 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં 97.72%

છેલ્લા 24 કલાકમાં 30,256 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,18,181), કુલ કેસનાં 0.95%

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.07%) 87 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 20 SEP 2021 10:19AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 37,78,296 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 80 કરોડ (80,85,68,144) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 79,78,302 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,68,967

બીજો ડોઝ

87,29,932

FLWs

પ્રથમ ડોઝ

1,83,45,002

બીજો ડોઝ

1,45,04,111

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

32,70,72,826

બીજો ડોઝ

6,01,11,629

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

15,09,55,764

બીજો ડોઝ

6,91,16,028

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,69,24,214

બીજો ડોઝ

        5,24,39,671

કુલ

        80,85,68,144

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,27,15,105 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 43,938 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.72% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BV2Z.jpg

85 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 30,256 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003JH2A.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,18,181 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.95% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046CIR.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,77,607 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 55.36 કરોડથી વધારે (55,36,21,766) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 87 દિવસોથી 2.07% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.57% છે. છેલ્લા 21 દિવસથી 3% કરતા ઓછો અને સતત 1014 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ZD78.jpg

SD/GP/BT



(Release ID: 1756359) Visitor Counter : 249