PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 02 SEP 2021 1:18PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • છેલ્લા 24 કલાકમાં 81 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 66.30 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 47,092 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.19% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,89,583 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 35,181 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,20,28,825 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 69 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.62% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.80% પહોંચ્યો
  • કુલ 52.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

#Unite2FightCorona#IndiaFightsCorona

માહિતી અને પ્રસારણ મંત્રાલય 

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો

ભારત સરકાર

Image

 

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 66 કરોડના સીમાચિહ્નને પાર

છેલ્લા 24 કલાકમાં 81 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

સાજા થવાનો દર હાલમાં 97.48%

છેલ્લા 24 કલાકમાં 47,092 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,89,583), કુલ કેસનાં 1.19%

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.62%) 69 દિવસથી 3% કરતા ઓછો

 

નોંધપાત્ર સિદ્ધિમાં, ભારતનું સંચિત રસીકરણ કવરેજ ગઈકાલે 66 કરોડની સીમાચિહ્ન પાર કરી ગયું. સાથે જ છેલ્લા 24 કલાકમાં 81,09,244 રસી ડોઝ આપવામાં આવ્યા. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, સંયુક્ત રીતે, 66.30 (66,30,37,334) રસી ડોઝ 69,60,983 સત્રો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે.  

આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,59,391

બીજો ડોઝ

84,14,897

FLWs

પ્રથમ ડોઝ

1,83,25,922

બીજો ડોઝ

1,33,20,833

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

25,97,17,695

બીજો ડોઝ

2,98,87,208

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

13,33,18,523

બીજો ડોઝ

5,59,07,199

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,80,78,095

બીજો ડોઝ

4,57,07,571

કુલ

66,30,37,334

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,20,28,825 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 35,181 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.48% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001PK6Q.jpg

67 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 47,092 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024CL6.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,89,583 છે. સક્રિય કેસ કુલ કેસનાં 1.19% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZQFS.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,84,441 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 52.48 કરોડથી વધારે (52,48,68,734) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 69 દિવસોથી 2.62% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.80%છે. સતત 87 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.

વિગતો: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1751324

 

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 64.65 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 4.78 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ

(02 સપ્ટેમ્બર, 2021 સુધી)

પુરવઠો

64,65,07,160

બાકી ઉપલબ્ધ

4,78,94,030

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 64.65 કરોડ (64,65,07,160) થી વધુ રસી પૂરી પાડી છે.

હાલમાં, કોવિડ-19 રસીના 4.78 કરોડ (4,78,94,030) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

વિગતો: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1751313

 

 

 



(Release ID: 1751360) Visitor Counter : 281