સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 63 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 73 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.53%

છેલ્લા 24 કલાકમાં 45,083 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,68,558), કુલ કેસનાં 1.13%

દૈનિક પોઝિટિવિટી દર (2.57%) 34 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 29 AUG 2021 9:53AM by PIB Ahmedabad

 

ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગઈકાલે 63 કરોડ સીમાચિહ્ન પાર કરી ગયું. ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગઈકાલે 61 કરોડ સીમાચિહ્ન પાર કરી ગયું. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, સંયુક્ત રીતે, 63.09 (63,09,17,927) રસી ડોઝ 67,80,301 સત્રો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 73,85,866 રસી ડોઝ આપવામાં આવી હતી.

આજે સવારે 8 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,57,335

બીજો ડોઝ

83,48,055

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,18,644

બીજો ડોઝ

1,30,57,806

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

24,22,90,397

બીજો ડોઝ

2,60,65,825

 

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

12,89,66,672

બીજો ડોઝ

5,31,54,542

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,60,95,654

બીજો ડોઝ

4,42,62,997

કુલ

63,09,17,927

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,18,88,642 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 35,840 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.53% સુધી પહોંચી ગયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CEX2.jpg

 

63 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 45,083 નવા કેસ નોંધાયા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023C2B.jpg

 

સક્રિય કેસનું ભારણ આજે 3,68,558 છે. સક્રિય કેસ હાલમાં કુલ કેસનાં 0.99% થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OAXK.jpg

દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,55,327 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 51.86 કરોડથી વધારે (51,86,42,929) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.28% છે જે છેલ્લા 63 દિવસથી 3% થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.57% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 34 દિવસથી 3% થી ઓછો અને 83 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

SD/GP/JD



(Release ID: 1750146) Visitor Counter : 254