સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 49 કરોડનો સીમાચિહ્ન પાર કરી ગયું


છેલ્લા 24 કલાકમાં લગભગ 58 લાખ રસી ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર 97.36% થયો

છેલ્લા 24 કલાકમાં 44,643 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (4,14,159); કુલ કેસના 1.30%

દૈનિક પોઝિટિવિટી દર (2.72%) 2 મહિનાથી 3% કરતા ઓછો

Posted On: 06 AUG 2021 9:29AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 49 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 57,64,712 સત્રોનું આયોજન કરીને રસીના 49,53,27,595 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 57,97,808 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,24,101

બીજો ડોઝ

79,35,738

FLWs

પ્રથમ ડોઝ

1,80,22,988

બીજો ડોઝ

1,15,97,454

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,97,29,527

બીજો ડોઝ

1,08,07,866

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

10,99,20,377

બીજો ડોઝ

4,15,01,902

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

7,76,34,057

બીજો ડોઝ

3,78,53,585

કુલ

49,53,27,595

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,10,15,844 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 41,096 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.36% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AJVF.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 44,643 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002UE4J.jpg

સક્રિય કેસનું ભારણ આજે 4,14,159 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.30% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HJ9B.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,40,287 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 47.65 કરોડથી વધારે (47,65,33,650) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.41% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.72% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર 60 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004K7S6.jpg

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1743040) Visitor Counter : 262