સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 42.78 કરોડને પાર


સાજા થવાનો દર વધીને 97.35% થયો

છેલ્લા 24 કલાકમાં 39,097 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,08,977; કુલ કેસના 1.31%

દૈનિક પોઝિટિવિટી દર (2.40%) સળંગ 33 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 24 JUL 2021 9:36AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 42.78 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 52,34,188 સત્રોનું આયોજન કરીને રસીના 42,78,82,261 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 42,67,799 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,02,83,491

બીજો ડોઝ

76,74,804

FLWs

પ્રથમ ડોઝ

1,78,44,127

બીજો ડોઝ

1,07,32,410

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

13,54,32,522

બીજો ડોઝ

57,68,314

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

10,00,94,927

બીજો ડોઝ

3,34,30,580

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

7,31,64,749

બીજો ડોઝ

3,34,56,337

કુલ

42,78,82,261

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,05,03,166 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 35,087 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.35% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00134KN.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 39,097 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00267V0.jpg

સક્રિય કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,08,977 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.31% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031YYR.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,31,266 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 45.45 કરોડથી વધારે (45,45,70,811) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.22% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.40% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 33 દિવસથી ૩%થી ઓછો છે અને 47 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00411V3.jpg

SD/GP/BT



(Release ID: 1738582) Visitor Counter : 195