પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અય્યા વૈઈકુંડા સ્વામીકલ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ

Posted On: 12 MAR 2021 7:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અય્યા વૈઈકુંડા સ્વામીકલ પ્રત્યે તેમની જન્મ જયંતી નિમિતે સન્માન વ્યક્ત કર્યુ હતું.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘તેમની જન્મ જયંતી નિમિતે, હું અય્યા વૈઈકુંડા સ્વામીકલ પ્રત્યે સન્માન વ્યક્ત કરૂં છું, જેઓ 19મી સદીના એક મહાન વિચારક અને સમાજ સુધારક હતા. તેમના ઉપદેશો સમાજને સામાજિક બંધનોને ઓળંગવામાં મદદરૂપ થયા છે અને લોકોમાં ઐક્ય સાધ્યું છે. તેમણે સમાનતા પર જે રીતે ભાર મૂક્યો હતો તે આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.’

SD/GP/JD



(Release ID: 1704475) Visitor Counter : 191