ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે ભારતીયોની સલામતી અને સ્વસ્થ જીવન મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે


"કોરોના સામેના આ યુદ્ધમાં પણ દેશવાસીઓના જીવ બચાવવાનું જ મોદી સરકારે પોતાનું પરમ કર્તવ્ય માન્યું

"આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધતા આ સંકલ્પને પુનરાવર્તિત કર્યો છે"

"હું આપ સૌને વિનંતી કરું છું કે તમે આ આપત્તિ સામે લડવા માટે પ્રધાનમંત્રીની 'જ્યાં સુધી કોઈ દવા નહીં, ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં' ની અપીલને પોતાના જીવનનો મંત્ર બનાવી રાખો"

Posted On: 20 OCT 2020 8:12PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, ભારતીયોની સલામતી અને સ્વસ્થ જીવન જ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ પોતાના ટવીટ્સમાં શ્રી શાહે કહ્યું હતું કે, કોરોના સામેના આ યુદ્ધમાં પણ દેશવાસીઓના જીવ બચાવવાનું જ મોદી સરકારે પોતાનું પરમ કર્તવ્ય માન્યું છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે આ સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, "આપ સૌને વિનંતી કરું છું કે તમે આ આપત્તિ સામે લડવા માટે પ્રધાનમંત્રીની 'જ્યાં સુધી કોઈ દવા નહીં, ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં' ની અપીલને પોતાના જીવનનો મંત્ર બનાવી રાખો અને પોતાને તેમજ તમારા પરિવારને સુરક્ષિત રાખો. સંયુક્ત અને સંકલ્પિત ભારતના રૂપમાં જ આપણે આ આપત્તિમાંથી જીતી શકીશું.

 

SD/GP/BT



(Release ID: 1666259) Visitor Counter : 185