ગૃહ મંત્રાલય

સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટે નામાંકનની તારીખ 31 ઓક્ટોબર, 2020 સુધી લંબાવવામાં આવી

Posted On: 20 AUG 2020 5:29PM by PIB Ahmedabad

ભારતની એકતા અને અખંડિતતામાં ફાળો આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટેની ઓનલાઇન નામાંકન પ્રક્રિયા હવે 31 ઓક્ટોબર, 2020 સુધી વધારી દેવામાં આવી છે. નામાંકન ગૃહ મંત્રાલયની વેબસાઇટ https://nationalunityawards.mha.gov.in પર ઓનલાઇન પ્રાપ્ત થઈ રહ્યા છે.

ભારત સરકાર સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણાર્થે પુરસ્કાર સંસ્થાપિત કરે છે. આ પુરસ્કાર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા અને મજબૂત અને અખંડ ભારતના મૂલ્યને મજબૂત બનાવવા માટે નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાનને માન્યતા આપવાનો પ્રયત્ન કરે છે.

 

SD/GP/BT



(Release ID: 1647464) Visitor Counter : 242