કૃષિ મંત્રાલય

મંત્રીમંડળે ‘એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ હેઠળ કેન્દ્રિય ક્ષેત્રની યોજનામાં ધિરાણની સુવિધાને મંજૂરી આપી

Posted On: 08 JUL 2020 4:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી મંત્રીમંડળની બેઠકે એક નવી દેશ વ્યાપી સેન્ટ્રલ સેક્ટરની યોજના- ‘એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળને મંજૂરી આપી છે. યોજનામાં અર્થક્ષમ યોજનાઓને પોસ્ટ- હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીવ ફાર્મીંગ એસેટસ માટે વ્યાજમાં રાહત અને નાણાંકિય સહયોગ મારફતે ડેબ્ટ ફાયનાન્સીંગ કરવામાં આવશે.

યોજના હેઠળ બેંકો અને નાણાંકિય સંસ્થાઓ મારફતે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ), માર્કેટીંગ કો-ઓપરેટીવ સોસાયટીઓ, ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન્સ (એફપીઓ), સ્વસહાય જૂથો (એસએસજી), ખેડૂતોના જોઈન્ટ લાયાબિલીટી ગ્રુપ (જેએલજી), મલ્ટી પર્પઝ કો-ઓપરેટીવ સોસાયટીઓ, કૃષિ ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, એગ્રીગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ અને કેન્દ્ર/ રાજ્ય સરકારની એજન્સીઓ અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહિત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ યોજનાઓને રૂ.1 લાખ કરોડ પૂરા પાડવામાં આવશે.

ચાલુ વર્ષે રૂ.10 હજાર કરોડની મંજૂરીથી શરૂઆત કરીને ધિરાણોની ચૂકવણી 4 વર્ષના ગાળામાં કરવામાં આવશે અને આગામી 3 નાણાંકિય વર્ષમાં રૂ.30 હજાર કરોડ આપવામાં આવશે.

નાણાંકિય સુવિધા હેઠળના તમામ ધિરાણોમાં વાર્ષિક 3 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જે રૂ.2 કરોડ સુધી મર્યાદિત રહેશે. સહાય મહત્તમ 7 વર્ષના ગાળા માટે ઉપલબ્ધ રહેશે. માન્ય ધિરાણ લેનારાઓને નાણાંકિય સુવિધામાં માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ માટેના ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ (સીજીટીએમએસઈ) સ્કીમ હેઠળ રૂ.2 કરોડ સુધીના ધિરાણ માટે ઉપલબ્ધ રહેશે. કવરેજ માટેની ફી સરકાર ચૂકવશે અને એફપીઓના કિસ્સામાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ (ડીએસીએફડબલ્યુ) ની એફપીઓ પ્રમોશન યોજના હેઠળ ગેરંટી ઉપલબ્ધ કરવામાં આવશે.

ભારત સરકાર તરફથી અંદાજપત્રીય સહાયની કુલ રકમ રૂ.10,736 કરોડ થશે.

નાણાંકિય સુવિધાની ચૂકવણી માટે મોરેટોરિયમમાં ઓછામાં ઓછા 6 માસ અને મહત્તમ બે વર્ષ સુધીનો તફાવત રહેશે.

પ્રોજેક્ટ ખેતી અને ખેતી આધારિત પ્રોસેસીંગ પ્રવૃત્તિઓને ઔપચારિક ધિરાણની સુવિધા પૂરી પાડવા માટે છે અને અપેક્ષા છે કે તેનાથી ગ્રામ વિસ્તારોમાં વિવિધ રોજગારનું નિર્માણ થશે.

એગ્રી ઈન્ફ્રાફંડનુ વ્યવસ્થાપન અને મોનીટરીંગ ઓનલાઈન મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (એમઆઈએસ) પ્લેટફોર્મ મારફતે થશે. ફંડ હેઠળ તમામ માન્ય સંસ્થાઓ ધિરાણ માટે અરજી કરી શકશે. ઓનલાઈન પ્લેટફોર્મમાં વિવિધ બેંકો દ્વારા વ્યાજના દર અંગે પારદર્શકતા, વ્યાજ સહાય સહિત યોજનાની વિગતો અને ઓફર કરવામાં આવેલી ક્રેડિટ ગેરંટી, ઓછામાં ઓછુ દસ્તાવેજીકરણ, મંજૂરીની ઝડપી પ્રક્રિયા ઉપરાંત અન્ય યોજનાના લાભ સાથે સંકલનની સુવિધા રહેશે.

રાષ્ટ્રીય, રાજ્ય અને જીલ્લા સ્તરની મોનીટરીંગ કમિટીઓની સ્થાપના કરવામાં આવશે કે જેથી રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે અને અસરકારક ફીડબેક મળી શકે.

યોજનાનો ગાળો નાણાંકિય વર્ષ 2020થી નાણાંકિય વર્ષ 2029 (10 વર્ષ) સુધીનો રહેશે.

 

 

GP/DS



(Release ID: 1637296) Visitor Counter : 246